________________
સમાધિશતક-વિવેચન
૧૬૯ તેવું જ આ દેહનું સ્વરૂપ છે. જન્મતી વખતે હતા તે અવયનું એક પણ પરમાણુ અત્યારે નથી છતાં મારે દેહ અને સારે દેહ એમ જીવને લાગ્યા જ કરે છે, તે અવિચારનું ફળ છે.
આવું જ આખા જગતનું સ્વરૂપ પલટાતું છતાં વિચાર વિના જીવને સમજાતું નથી, તેથી દેખાય છે તેના ઉપર વિશ્વાસ રાખવા યોગ્ય અને સારું, રમ્ય, હિતકારીરૂપ માન્યતા રહે છે.
આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહે એવો અસંગી, અવિનાશી, સ્વાભાવિક પદાર્થ છે; તથા દેહ પુદ્ગલના સંગથી ઉત્પન્ન થયેલે, ક્ષણે ક્ષણે પલટાતે, દ્રશ્ય અને જડ પદાર્થ છે તેને વિશ્વાસ કરવાગ્ય નથી, આમ જેને સત્સંગ, સદ્દગુરુગે સમજાયું છે, મનાયું છે એવા અંતરાત્માને જગત પ્રત્યે વિશ્વાસ વર્તતા નથી, કારણ કે તે એકરૂપે ત્રણે કાળ રહેનાર નથી, માયાવીના ખેલ જેવું ચમત્કારી દેખાતું છતાં નાશવંત, મેહક અને પિતાને ભુલાવી પરિભ્રમણ કરાવનાર સમજાય છે. જગતમાં ક્યાંય પ્રેમ કે વિશ્વાસ કરવા જેવું વિચારવાનને લાગતું નથી, પરંતુ જગત અને જગતનાં કારણોથી દૂર રહી, તેને વિશ્વાસ તજી, આત્મા જ અનંત સુખનું ધામ છે એવી માન્યતા આત્મવૃષ્ટિવંત જીવની હોય છે.
હવે ગ્રંથના મધ્યભાગમાં ગ્રંથકાર સારભૂત વસ્તુને વળગી રહેવા કેવા ભાવે જીવવું તેને ઉપાય દર્શાવે છે –
आत्मज्ञानात्परं कार्य न बुद्धौ धारयेच्चिरम् । कुर्यादर्थवशात्किञ्चिद् वाक्कायाभ्यामतत्परः ॥५०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org