________________
ગ્રન્થ-યુગલ
जगद्देहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव वा । आत्मन्येवात्मदृष्टीनां क्व विश्वासः क्वं वा रतिः ॥ ४९ ॥ દેહાત્મતૃષ્ટિને ભાસે– વિશ્વાસ્ય, રમ્ય આ બધાં; સ્વાત્મામાં આત્મદૃષ્ટિને, ભવે વિશ્વાસ, રાગ ક્યાં? ૪૯ ભાવાર્થ : જેની જેવી દ્રષ્ટિ, તેની તેવી સૃષ્ટિ’ એમ દૃષ્ટિવાદ વિષે કહેવાય છે. જેણે લાલ ચશ્માં પહેર્યાં હાય તેને બધું લાલ દેખાય, જેણે કાળા ચશ્માં પહેર્યાં હાય તેને બધું કહ્યું ભાસે છે. તેમ જેનું અંતરંગ કે માન્યતા એમ છે કે દેહુ છે તે જ હું છું, તેને ઇંદ્રિયા દ્વારા જણાતું આ દૃશ્ય જગત વિશ્વાસ કરવા યાગ્ય અને સુંદર ભાસે છે.
૧૬૮
નદી કિનારે ઊભા રહીને પાણી જોઈ રહ્યા હોઈએ તેટલામાં તે કેટલાય મણ પાણી ચાલી ગયું હાય, થાડી વાર પહેલાં જોયેલા પાણીમાંનું એક પણ ટીપું આપણી નજરે ચઢતું ન હેાય, તોપણ યથાર્થ વિચાર વિના આપણને તેની તે જ નદી ભાસે છે.
વળી દીવાની જ્યેાત તરફ જોઇએ, તે તેને તે જ દીવે ભાસે છે. પણ સૂક્ષ્મ વિચારે વિચારી જોઈએ, તે જે પ્રકાશિત પરમાણુઓ, મળતા ગૅસરૂપે પ્રકાશતાં હતાં તે ધૂણી થઈને ઊડી ગયાં, તેલમાંથી ગૅસરૂપ બની જયાતમાં આવી નવાં કેટલાંય દાખલ થઈ પ્રકાશવા લાગ્યાં, વળી તે ધૂણીરૂપે ચાલ્યાં ગયાં, છતાં મૂઢતાને લઈને જીવને લાગે છે કે મારા કરેલા સુંદર દીવે પ્રકાશી રહ્યો છે, જેને સુંદર માને છે, મારું માને છે, તે તા ધુમાડા થઈ, શાભા તજી તેના ઘરને પણ તજીને ચાલી જાય છે, છતાં તેની જગા લેનાર અન્યને જીવ મારું ને સારું માન્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org