________________
૧૬૬
ગ્રન્થ-યુગલ युञ्जीत मनसाऽऽत्मानं वाक्कायाभ्यां वियोजयेत् । मनसा व्यवहारं तु त्यजेद्वाक्काययोजितम् ॥४८॥
જે આત્મા મન સાથે, વાણું-કાયાથૌ છોડીને, મનથી વાણ-કાયાને વર્તન વૃત્તિ છેડી દે. ૪૮
ભાવાર્થ-૩૬મી ગાથામાં મન વિષે જણાવેલું છે કે આત્મા જ મનન કરવાનું કામ કરે ત્યારે તેનું નામ મન પડે છે.
“દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.”
–શ્રીમદ્ રાજચંદ્ર આમ મન અને ઈદ્રિયે આત્માની સત્તાથી પ્રવર્તે છે.
ઉપનિષમાં એક કથા આવે છે, તેમાં આત્મશક્તિઓ કલહ કરે છે, સર્વ પિતાપિતાની સત્તા સર્વોપરી સાબિત કરવા મથે છે. પછી એવા નિર્ણય ઉપર આવે છે કે જેના ગયા છતાં પણ ચાલે તે સર્વોપરી નથી એમ જાણવું. તે સાબિત કરવા એક પછી એક ચાલી નીકળે છે. દેહના હાથ, પગ કામ ન કરે તો પણ ચાલ્યું, જીભ કામ ન કરે તો પણ ચાલ્યું, નાક કામ ન કરે તો પણ ચાલ્યું, કાન કામ ન કરે તો પણ ચાલ્યું, આંખ કામ ન કરે તો પણ ચાલ્યું, મન કામ ન કરે તો પણ ચાલ્યું, પ્રાણુ કામ ન કરે તોપણ ચાલ્યું; પણ આત્મા નીકળી ગયે એટલે મડદું પડયું રહ્યું. એમ દર્શાવી “આત્માથી સૌ હીન સાબિત કર્યું છે.
એ જ ભાવ આ ગાળામાં સંક્ષેપે કહ્યો છે કે આત્માને મન સાથે જે એટલે ભાવ-આત્મા અને મન જુદાં નથી. આત્માને ઓળખવો હોય તે વચન અને કાયાથી પાછા હઠે, તેને આગ્રહ, તેની મમતા મૂકો, વચન અને કાયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org