________________
સમાધિશતક-વિવેચન
૧૬૫ મુખથી ર્યા છતાં જીવને જગતના સુખની વાસના હૃદયમાંથી ખસવી દુર્લભ થઈ પડે છે. આત્માને સત્સુખની પ્રાપ્તિ થઈ નથી, તેનું દુઃખ બહિરાત્માને લાગતું નથી, સમજાતું પણ નથી. આત્મગુણ પ્રગટાવવાની દ્રષ્ટિ તેને થતી નથી. તેવી આત્મહિતની વાતમાં રસ પણ આવતું નથી. માત્ર પુણ્યબંધની ક્રિયાઓમાં બાહ્યદ્રષ્ટિથી ધર્મ માની તેમાં બહિરાત્મા મગ્ન રહે છે, તેથી સત્ય ધર્મથી તે દૂર ને દૂર રહે છે.
આત્મજ્ઞાની મહાત્મા આત્મગુણ સાધવા પુરુષાર્થ કરે છે. મિથ્યાત્વને પોષે તે સંગ, તેવી કિયા, તેવાં શાસ્ત્રોથી ચેત રહે છે; કષાયનાં કારણોથી દૂર રહે છે; સત્સંગ, સાસ્ત્ર અને સવિચાર દ્વારા પિતાની યેગ્યતા વધારવાની ચિંતા તેને હોય છે. પ્રાપ્ત દશાથી સંતોષ નહીં માનતાં, કષાયને મંદ કરી વ્રત આદિથી તે આત્માને ઉજજવળ કરે છે, પ્રમાદ, વિષય-વાસના આદિ શત્રુઓને જય કરવાની ભાવના નિરંતર રાખે છે. આત્મનિર્મળતા એ જ પિતાની સંપત્તિ સમજી કર્મ દૂર કરી સંપૂર્ણ શુદ્ધતાના લક્ષે તેને પુરુષાર્થ હોય છે. બારમા ગુણસ્થાન સુધી અંતરામદશા છે. તે વિભાવ તજી, સ્વભાવને ભજે છે.
પરમાત્મદશા તેરમે ગુણસ્થાનકે અને ચૌદમે ગુણસ્થાનકે હોય છે. તેમને ગ્રહણ-ત્યાગની બુદ્ધિપૂર્વક કંઈ પ્રવૃત્તિ હોતી નથી, મેહને ક્ષય કરી અનંત સુખમાં બિરાજે છે. તે પરમાત્માને કર્મના ઉદય-ગે દેહને સંગ હોય, તોપણ નિઃસંગ આત્મભાવ તેમને હણાતું નથી.
હવે મનને કેમ પ્રવર્તાવવાથી જીવ ઉન્નતિ સાધી શકે તે વિષે ગ્રંથકાર દર્શાવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org