________________
૧૬૦
ગ્રન્થ-યુગલ
દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ તિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે.
સર્વ જગતના જીવે કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, માટે ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે, પણ અહો ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિણત કર્યો કે કિંચિત્માત્ર પણ ચડવું એ જ સુખને નાશ છે.
વિષયથી જેની ઇન્દ્રિય આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ??
–શ્રીમદ્ રાજચંદ્ર હવે અંતરાત્માને પૂર્વકર્મ સત્તામાં પડ્યાં હોય છે તે ઉદય આવતાં શી દશા થાય છે તેનું વર્ણન ગ્રંથકાર કરે છે –
जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि । पूर्वविभ्रमसंस्काराद् भ्रान्तिं भूयोऽपि गच्छति ॥४५।। આત્મતત્ત્વ પિછાનીને, ભિન્ન ભાવી રહ્યા છતાં, ભ્રાંતિના પૂર્વસંસ્કારે, ભ્રાંતિમાં ફરી કે જતાં. ૪૫
ભાવાર્થ – દેહથી આત્મ ભિન્ન છે, રાગ-દ્વેષ આત્માને સ્વભાવ નથી, રાગ-દ્વેષથી કર્મબંધ થાય છે, માટે રાગ-દ્વેષ, શત્રુમિત્ર ભાવે તજી, આત્માને આત્મભાવમાં સ્થિર કર, કષાય દૂર કરવા એ આત્મહિત છે, એમ જાણતાં છતાં, તેવી ભાવના કરતા રહેવાને અભ્યાસ પાડવાના પુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org