________________
૧૫૯
સમાધિશતક-વિવેચન
दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवबुध्यते ।
इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवजितम् ॥४४॥ ત્રિલિંગ દૃશ્ય કાયા હું, એટલું મૂઢ માનત; અનાદિસિદ્ધ, અવાચ્ય, આત્મા, જે મત જ્ઞાનીને. ૪૪
ભાવાર્થઃ- જેને આ દ્રશ્ય જગતની જ શ્રદ્ધા છે, અતીન્દ્રિય જ્ઞાન કે અતીન્દ્રિય સુખના અસ્તિત્વની જેને શ્રદ્ધા જ નથી એવા મૂઢ અથવા બહિરાત્માને ઇદ્રિથી જણાતું જગત ત્રણ લિંગ રૂપે જણાય છે, એટલે નરજાતિ, નારીજાતિ અને નાન્યતર જાતિ રૂપે જેનું વર્ણન થાય છે, અને ભાસે છે તે સિવાય જગતમાં કાંઈ નથી એમ એને લાગે છે.
અંતરાત્મા જેને આત્માનુભવ થયે છે, તેને નિઃશંકપણે દ્રઢ થયું છે કે આ આત્મસ્વરૂપ છે તે સ્વભાવસિદ્ધ છે, શબ્દરહિત એટલે અવાચ્ય છે, સ્વાનુભવગમ્ય છે. શબ્દ એ આત્માને ગુણ નથી, પરંતુ પુદ્ગલને ગુણ છે અને પુદુંગલના એક પરમાણમાં તે હોતો નથી, તેથી પુદ્ગલના સ્કંધથી ઉત્પન્ન થનાર શબ્દ વૈભાવિક ગુણ છે. આત્મા મૂળ દ્રવ્યરૂપે સ્વભાવસિદ્ધ છે. તેથી જ્ઞાની પુરુષને, પિતે કહેલું બીજે ન માને તે, ખેટું ન લાગે, કારણ કે શબ્દને પર રૂપે જાણેલ હોવાથી, મારાપણાને આગ્રહ નહીં હોવાથી, શબ્દ મનાય કે ન મનાય તે સંબંધી કલેશ થતું નથી. કેઈ સ્તુતિ કરે કે નિંદા કરે તે પણ તેને હર્ષ–શકનું કારણ થતું નથી. મારી સ્તુતિ કે મારી નિંદા, મારું વચન કે મારી આજ્ઞા એમ તેને ભાસતું જ નથી. તેથી મૂળ દ્રવ્ય તરફ અંતરાત્માનો લક્ષ રહે છે અને પર્યાવૃષ્ટિ તેની ગૌણ થઈ ગઈ હોય છે. એ જ શાંતિ અને સુખનું કારણ તેને થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org