SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] વચન જેમ અનેક ધર્મના મૂળ ગ્રન્થામાં જણાય છે, તેમ તેમના નિકટવર્તી મહાપુરુષોનાં વચના પણ સર્વજ્ઞને અવલંબીને નીકળેલાં હોવાથી તેની સુગંધી પણ સર્વત્ર પ્રસરી લાગે છે. ઉત્તમકાળના નિકટવર્તી દુષમ કાળમાં જે વખતે અનેક ઋદ્ધિધારી, અધિજ્ઞાની મહાત્માઓ વિચરતા હતા, તેમ જ તેમની આજ્ઞામાં જેમણે જીવન સમર્પણ કર્યું છે એવા, સંસારથી વિરક્તચિત્ત, તરવાના કામી જીવાત્માઓ આ ભરત-ભૂમિને શેાભાવી રહ્યા હતાં, તેવા વાતાવરણમાં બાહ્યત્યાગને અંતગ રૂપે પલટાવી, પરમાર્થમાં મગ્ન રહેવામાં મદદરૂપ થાય તે અર્થે, ભવિષ્યમાં પણ મોક્ષમાર્ગમાં દીવા-દાંડીરૂપે માર્ગ-દર્શક નીવડે તેવા વિશાળ આશયથી શ્રી પૂજ્યપાદ સ્વામીએ આ ‘સમાધિશતક”ની રચના કરી છે. તે તેને સ્વાધ્યાય કર્યા પહેલાં વૈરાધ્યની વૃદ્ધિ થાય તેવું વાચન જીવે કરવા યોગ્ય છે. સામાન્ય વૈરાગ્ય હોય તે પણ તેની વૃદ્ધિને અર્થે યોગવાસિષ્ઠનાં પ્રથમ બે પ્રકરણ', ‘ઉત્તરાધ્યયન”, ‘દશવૈકાલિક’, ‘ભાવનાબાધ', મેાક્ષમાળા', ‘પ્રવેશિકા’, ‘માહમુગર’ આદિ ગ્રન્થેાના વૈરાગ્ય ઉપશમ અર્થે સ્વાધ્યાય કરતા રહેવાની ઘણી જરૂર છે. શ્રીમદ્ રાજચંદ્રે જણાવ્યું છે કે ‘મેાક્ષમાળા ભાવનાબાધ' લખતી વખતે અમને શ્રી રામ જેવી વૈરાગ્ય દશા વર્તતી હતી. તે પછીનાં તેમનાં લખાણ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રન્થમાં વિશેષ વૈરાગ્યવાળાં છપાયાં છે, તેને પણ અભ્યાસ કરવા સાથે શ્રી સમાધિશતકના અભ્યાસ થશે તે વાચકને તે વિશેષ શેયસ્કર નીવડવા સંભવ છે. વેદાંતનાં પુસ્તક પોતાની મેળે વાંચી, કે શ્રી સમયસાર વગરયોગ્યતાએ વાંચી ઘણા પેાતાને પરમાત્મસ્વરૂપ માની ‘અતે ભ્રષ્ટ તત ભ્રષ્ટ' થાય છે. તેવી ભૂલથી બચવા આ ચેતવણી આપી છે કે ઉપદેશબોધથી વૈરાગ્ય ઉપશમ રસે ભીનું હ્રદય થયું હશે, તે ઉન્મત્તતા કોઈ પણ સિદ્ધાંતગ્રન્થના અભ્યાસથી નહીં આવે. સગ્રન્થકાર પ્રત્યે, સગ્રન્થ પ્રત્યે ભકિતભાવ સહિત આત્માર્થે અભ્યાસ થશે તા હિતકર છે, નહીં તો બધા ગ્રન્થો હું ઘોળીને પી ગયો છું, હવે મારે શાસ્ત્રોની જરૂર નથી, હું પરમાત્મા છું' એવું અભિમાન અપરિપકવ દશામાં ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy