________________
૧૪૬
ગ્રન્થ–યુગલ જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર અનાદિકાળથી મિથ્યાત્વના સંસ્કારે જીવે ગ્રહેલા હોવાથી મન વિક્ષેપ કે સંકલ્પવિકલ્પમાં તણાઈ જાય છે, તેને આત્મ સ્વરૂપમાં સ્થિર કરવાને ઉપાય ગ્રંથકાર હવે દર્શાવે છે –
अविद्याभ्याससंस्काररवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥३७॥ અવિદ્યા બહુ અભ્યાસી, તે સંસ્કારે મન ચળે, જ્ઞાનસંસ્કારથી ચિત્ત, આત્મ-તત્વે સ્વયં વળે. ૩૭
ભાવાર્થ – અવિદ્યા એટલે જડ એવા દેહને ચેતન એવા પિતાના સ્વરૂપ જે ગણવે, દેહાદિ અનિત્ય પદાર્થોમાં નિત્ય બુદ્ધિ થવી, અશુચિય અને અશુચિ (મલિન) ભાવનાં કારણ દેહ, ધન, સ્ત્રી-પુત્રાદિને પવિત્ર, ગ્રહણ કરવા ગ્ય માનવાંઆવી વિપરીત સમજણને અજ્ઞાન કે અવિદ્યા કહે છે. તેવા સંસ્કારને દીર્ઘ કાળથી પરિચય હોવાથી મન રાગદ્વેષ કરી વિક્ષેપ પામે છે. તે જ મન જ્યારે જ્ઞાની પુરુષના બેધને વિચાર કરે છે, દેહનું સ્વરૂપ પુદ્ગલ પરમાણુના સંગરૂપ, જડ અને દ્રશ્ય માને છે તથા આત્મા અસંગી, અવિનાશી, ચૈતન્યમય અને દ્રષ્ટારૂપે દેહથી ભિન્ન સમજાય છે, તથા વારંવાર તેવી ભાવના ભાવવાથી પિતાના શુદ્ધ સ્વરૂપના સંસ્કારે જાગ્રત થાય છે, સમ્યક દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યફ ચારિત્રમય પોતાના સ્વરૂપમાં વૃત્તિ કરવાથી આત્મા આત્મારૂપે વર્તે છે ત્યારે રાગદ્વેષ દૂર થાય છે, “આત્માથી સૌ હીન”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org