________________
સમાધિશતક-વિવેચન
૧૪૫ આંખ એ પુદ્ગલ-વણાથી બનેલી બાહો ઇદ્રિય છે, તેમાં આત્માને ઉપગ જેવાનું કામ કરે છે તે અંતરંગ કે ભાવ ઇંદ્રિય છે, તેમ જ મન પણ નેઇંદ્રિય છે (અંતઃકરણ) તે પુદ્ગલ-વર્ગણાની મદદથી મનન એટલે વિચાર કરવાનું, સંકલ્પ-વિકલપ કરવાનું કામ કરે છે. આત્માને ઉપગ, જે પુદ્ગલ વર્ગણાઓની મદદથી મનન કરવાનું કામ કરે છે, તે દ્રવ્ય મન કહેવાય છે, અને આત્માને મનન કરનાર ઉપગ તે ભાવમન કહેવાય છે. સંકલ્પ-વિકલ્પનું કામ ન કરે તે વખતે આત્માને ઉપગ, ઉપગ સ્વરૂપે પિતા સ્વરૂપે રહે છે, તે આત્મતત્ત્વ છે. પુદ્ગલ-વળગણ એ જડ છે તેથી દ્રવ્ય મનને જડ પણ કહેવાય છે. પણ તે દ્વારા પ્રવર્તતે આત્માને ઉપગ ચેતન રૂપ છે. “ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ”
–શ્રીમદ્ રાજચંદ્ર માટે આત્માર્થી જીવે મનને વિક્ષેપ રહિત કરવું એટલે જગતના સંકલ્પ-વિક૯પ શમાવી દેવા; પરંતુ જગતના સંકલ્પવિકલ્પવાળા મનને આશ્રય કરે નહીં.
ભક્તિમાર્ગમાં આ રહસ્ય નીચે પ્રમાણે દર્શાવ્યું છે ?
માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવા રૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
જ્ઞાની પુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org