________________
ગ્રન્થ-યુગલ
“જગત. આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પેાતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યેાગ્ય છે,બીજી રીતે ન†.” -શ્રીમદ્ રાજચંદ્ર હવે મન રાગ દ્વેષથી ક્ષેાભ ન પામે તેવી દશા કરવા ગ્રંથકાર ભલામણ કરે છેઃ—
अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥३६॥
ભાવાર્થ
અવિક્ષેપી મન આત્મા, વિક્ષેપી આત્મશ્રાંતિ ો; અવિક્ષેપી કરી ચિત્ત, તેથી વિક્ષેપી ના રહે, ૩૬ આત્મતત્ત્વની વ્યાખ્યા. ગ્રંથકાર પ્રથમ જણાવે છે. આત્મા અને મન એ એ તત્ત્વા જુદાં છે એમ ઘણા દર્શનકારો જણાવે છે, તે ભ્રાંતિ દૂર કરવા અનુભવી યાગી શ્રી પૂજ્યપાદ સ્વામી દર્શાવે છે કે શાંત એટલે રાગ-દ્વેષનાં માજાં કે સંકલ્પવિકા જેમાંથી દૂર થઈ ગયા છે એવું મન તે જ આત્મતત્ત્વ છે. જ્યારે રાગ–દ્વેષને નિમિત્તે આત્મામાં સંકલ્પ વિકલ્પે ઊઠે છે, ત્યારે તેને વિક્ષેપવાળું મન કે આત્માની ભ્રાંતિ કહી છે; આત્માનું શુદ્ધ ઉપયાગમય સ્વરૂપ, સંકલ્પ-વિકલ્પ દશામાં, દેખાતું નથી, પણ જગતના સંકલ્પ-વિકા રૂપે આત્મા દેખાય છે તે જ ભ્રાંતિ છે.
૧૪૪
-:
આત્માના ઉપયાગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. સંકલ્પ-વિકલ્પ મૂકી દેવા તે ઉપયાગ' (શુદ્ધ આત્મા).”
—શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org