________________
સમાધિશતક-વિવેચન
૧૪૩
જ્યાં સુધી રાગદ્વેષરૂપે પવનથી જીવનું મનરૂપી સરેવર મોજાં ઉછાળી રહ્યું છે, ત્યાં સુધી આત્માના યથાર્થ સ્વરૂપનું દર્શન પિતાને થતું નથી; જેનું મનરૂપી સરેવર રાગદ્વેષથી થતાં મેજથી અડોલ રહે છે, નિશ્ચળ બને છે, તે જ આત્મસાક્ષાત્કાર કરી શકે છે, બીજાનું ગજું નથી કે તે આત્મદર્શન પામે. આ દૃશ્ય જગતનું માહાસ્ય જેના હૃદયમાં રહેલું છે, તેને નિમિત્તે જીવને રાગદ્વેષરૂપ ભાવે ખુરે છે, ઇષ્ટ અનિષ્ટપણું થયા કરે છે, તે આસવનું, એટલે કર્મવર્ગણાએને આવવાનું, કારણ છે; બંધનું કારણ છે. આમ આત્માને આવરણ થયા કરે ત્યાં પોતાનું ભાન પ્રગટવું દુર્લભ છે. - તેથી જેને આત્મ-દર્શનની પ્રબળ અભિલાષા હોય, તેણે આ દ્રશ્ય જગતને વિશ્વાસ, સદ્દગુરુના બધે સત્સંગસન્શાસ્ત્ર દ્વારા સુવિચારણા પ્રગટાવી, ઘટાડ, મટાડે ઘટે છે. લૌકિક માહાત્મ્ય તજી, જ્ઞાનીનું, જ્ઞાનીના બોધનું, આત્માનું, આત્મગુણેનું માહાસ્ય જ્યારે જાગશે ત્યારે આત્મદ્રષ્ટિ, આત્મ-વિશ્વાસને યોગ્ય જીવ થશે. કર્મ અને કર્મની રચનારૂપ દેહ, સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ, સુખ–સામગ્રી કે દુઃખનાં નિમિત્તોને જનારને રાગ-દ્વેષ થયા વિના રહે નહીં,
લીલથી ઢંકાઈ ગયેલું, ગંધાતું તળાવ જેનારને ત્યાં કપડાં ધવા જવાનું મન ન થાય; પણ જેને જરા ઊંડી દ્રષ્ટિ છે કે લીલ આઘી પાછી કરવાથી પાણી જણાશે, તે તે પાણીથી કપડાંને મેલ દૂર કરશે, તે કપડાં ધોઈ આવશે; તેમ કર્મથી ભિન્ન આત્મા છે, એ વિશ્વાસ જેને સદ્દગુરુ યેગે આવે છે, તે આત્મા જેતે થાય છે, તેના રાગ-દ્વેષ ટળે છે (જુઓ ગાથા ૨૫ મી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org