SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ગ્રન્થ-યુગલ ઇંદ્રિયના વિષયો પ્રત્યે વૈરાગ્યવાળા આત્માને ઇંદ્રિને સંયમ સુલભ છે, તથા અંતરાત્મા કે મને જગતના સંકલ્પ-વિકલપોને અસાર જાણે આત્મા ભણું વળ્યું છે તથા આત્મા પરમાનંદરૂપ પ્રતીત થયેલ છે તેને જગતનું વિસ્મરણ થવું સુલભ છે. આવી અંતરાત્માની યેગ્યતા આવતાં, જ્ઞાની સદ્ગુરુ પિતાની સમક્ષ તેને સમજાવે છે કે સિદ્ધ સમાન પરમાત્મસ્વરૂપ એ જ તારું ખરું સ્વરૂપ છે, તેથી હવે સર્વ ઇંદ્રિયમાંથી ઉપગ પાછો વાળી અંતર્મુખ ઉપયોગ કર અને જગત જે ઇદ્રિ દ્વારા આત્માને બહિર્મુખ બનાવે છે તે ભૂલી જા. બારણાં વાસવાથી બહારને કેલાહલ બંધ થાય છે, તેમ તું ઉપગને ઈદ્રિ તરફ ઢળવા ન દે, એટલે શાંત થઈશ. ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાશ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે મનમાં ઊડતાં સંકલ્પવિકપને શમાવવા ને વિસ્કૃત કરવા તત્પર થા. આમ કરતાં કરતાં સર્વ ઇંદ્રિયે અકિય બને, અને મને વિશ્રામ પામે, તે ક્ષણે ઉપયોગસ્વરૂપ એટલે જાણનાર દેખનાર એવું તારું પિતાનું સ્વરૂપ અસંગપણે ભાસશે, તે જ પરમાત્મતત્ત્વ છે. આમ ૧૭મી ગાથામાં પરમાત્મદર્શક ગની પ્રસ્તાવના કરી શિષ્યને મેગ્યતા અર્થે જે આશા આપી હતી, તે પરમાત્મ-દર્શનની સફળતા થાય તેવી ગુપ્ત વાત આ ૩૦ મી ગાથામાં ગુરુએ ગુરુગમરૂપે સુશિષ્યને સમજાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy