________________
સમાધિશતક-વિવેચન
૧૩૧
કહે છે. પરંતુ તેનું હૃદય તપાસીએ તે સંસારમાં, તથા સંસારના કારણેામાં તેને પ્રીતિ છે, ત્યાં સુધી મેાક્ષ પ્રત્યે દ્વેષ કે ભય જ વર્તે છે, એમ કહેવું યાગ્ય છે. શ્રી ભતૃરિએ એ જ ભાવ નીચેના શ્લાકમાં પ્રગટ કર્યાં છેઃ
"भोगे रोगभयं, कुले च्युतिभयं वित्ते नृपालाद्भयम् माने दैन्यभयं बले रिपु-भयं रूपे तरुण्या भयम् । शास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतांताद्भयम् सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥ ભાવાર્થ :— ભાગમાં રાગને ભય છે; કુળને પડવાના ભય છે; લક્ષ્મીમાં રાજાના ભય છે; માનમાં દીનતાના ભય છે; ખળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદના ભય છે; ગુણમાં ખળના ભય છે; અને કાયા પર કાળના ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !'
—ભાવનાબાધ અંતરાત્માને પરમાત્મતત્ત્વ એળખાવવા હવે ગ્રંથકાર આગળની ગાથા પ્રકાશે છે:
:
सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनांतरात्मना । यत् क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः ॥ ३०॥ ઇન્દ્રિયા સર્વ રોકીને, કરીને સ્થિર ચિત્તને; જોતાં જે ક્ષણમાં ભાસે, પરમાત્મસ્વરૂપ તે. ૩૦ ભાવાર્થઃ—જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યા છે અને દેહાદિ પદાર્થો પ્રત્યેથી સુખબુદ્ધિ દૂર થઈ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને તે પ્રગટ થવાનાં કારણા પ્રત્યે વિશ્વાસ પ્રગટ્યો છે એવા અંતરાત્માને ગ્રંથકાર તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનાં દર્શન કરવા પ્રેરે છે.
Jain Education International
1
For Private & Personal Use Only
www.jainelibrary.org