________________
૧૩૦
ગ્રન્થયુગલ
છે તે જણાવવા ગ્રંથકાર કહે છે કે જ્યાં જ્યાં આ અજ્ઞાની જીવે વિશ્વાસ રાખ્યા છે, પ્રેમ કર્યો છે, તે જ તેને પરિશ્રમણનાં કારણુરૂપ કર્મના હેતુ છે.
વાઘ, સિંહ, સાપ, શત્રુ, શસ્ત્ર, વિષ આદિ પદાર્થોને અજ્ઞાની જીવે। મહાભયનાં કારણ માને છે, પણ તે તે કારણવશાત્ હાનિકારક બને, નહીં તો ન પણ અને; જંગલમાં કેદૂર હાય ત્યારે તેને તે મરણનાં કે દુ:ખનાં કારણ અનતાં નથી. પરંતુ પુત્ર, મિત્ર, સ્ત્રી, માતા, પિતા, ધન, વૈભવ આદિ વગર કારણે સદા કર્મબંધનાં કારણેા અને છે, તેથી જન્મમરણ ઊભાં થાય છે; તેમના સંયેાગમાં કે વિયેાગમાં પણ કર્મ બંધાય તેવા ભાવ તે નિમિત્તે જીવ કર્યાં કરે છે. તેથી અજ્ઞાની જીવે જ્યાં જ્યાં વિશ્વાસ, પ્રેમ, માહાત્મ્ય હૃદયમાં રાખેલ છે તેથી વિશેષ ભયનાં સ્થાન ખીજાં કાઈ નથી.
તે જ પ્રમાણે જીવે નિર્ભય મનવું હાય તા ભયનાં સ્થાનકથી મન ઉદાસ કર્યાં વિના નિર્ભય કેમ બનાય ? જ્ઞાની પુરુષા નિર્ભય થયા છે, નિર્ભયતાના માર્ગ બતાવે છે; ભયનાં નિમિત્તોથી બચવાના ઉપદેશ આપે છે. પરંતુ અજ્ઞાનને કારણે હિરાત્મદશામાં જીવ જ્ઞાની અને જ્ઞાનીના ઉપદેશથી જ ડરતા રહે છે. તેમનું કહેલું કરીશું તો તે ભીખ માગતા કરશે; પરિગ્રહ, પ્રિયજના આર્દિને તજવાનું કહેશે; ભાગેા છેડાવશે, વ્રત નિયમ પળાવશે, આવા ડર જીવને અંતરમાં ઊંડા રહ્યા કરે છે. તેથી જ્ઞાની પાસે જાય, ઉપદેશ સાંભળે તે પણ એ તે સંતમહાત્માઓનું કામ, આપણાથી ન અને, કહી તે ઉપદેશને નથી વિચારતા કે નથી આચારમાં મૂકતા. મેાક્ષ મને મળે તે સારું એમ અજ્ઞાની જીવા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org