SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૧૩૩ આ ઉપદેશને અનુસરીને ઇંદ્રિય અને મનને વશ કરીશ તે જરૂર તને પરમાત્મદર્શન થશે, એવી વિશ્વાસપાત્ર શિષ્યને સદ્ગુરુએ દેરવણું આ ગાથામાં આપી છે. - શ્રીમદ્ રાજચંદ્ર મનને વશ કરવાને સર્વથી મુખ્ય ઉપાય દર્શાવતાં લખે છે : મનને લઈને આ બધું છે એ જે અત્યાર સુધીને થયેલે નિર્ણય લખે, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે. તથાપિ “મન”, “તેને લઈને”, અને “આ બધું, અને તેને નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણું કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે, તથાપિ ન વર્તતું હોય તે પણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખ્યું છે, તે સર્વથી મુખ્ય એ લખે છે. જે વાય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને છે.” હવે જેને પરમાત્મદર્શન થયું છે તેણે તે પરમાત્મસ્વરૂપની અભેદભાવે ઉપાસના કરવી એમ ઉપદેશ ગ્રંથકાર કરે છેઃ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥३१॥ હું પરાત્મારૂં છું કે, પરાત્મા તે જ હું નકી; તેથી ઉપાસના મારી, મારે કર્તવ્ય, એ સ્થિતિ. ૩૧ ભાવાર્થ – સશુરુની ઉપાસના કરી, સદ્ગુરુકૃપારૂપ છેવટની પરમાત્મદશા પ્રાપ્ત કરવાની કુચી જેણે પ્રાપ્ત કરી તથા તેને આધારે પરમાત્મદર્શન પ્રાપ્ત કર્યું, તેને હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy