________________
[૧૩]
“સમાધિશતક’ વિષે એક મુમુક્ષુ બહેનને શ્રીમદ્ લઘુરાજ સ્વામીએ વાત કરેલી તેની નોંધ વાચકને ઉપયોગી હોવાથી અહીં ઉતારી લીધી છે :
તા. ૧૧-૧૧-૧૯૩૨ “આત્મા એ જ પરમાત્મા છે, એ નિશ્ચયનું તત્ત્વ-વચન સાંભળી, કોઈ પોતાને પરમાત્મા માની બેસે છે ? તે ખોટું છે. જ્યાં સુધી પરમાત્માના ગુણ ન પ્રગટે, ત્યાં સુધી માત્ર મોઢેથી કહો કંઈ ન વળે. “સમાધિ-શતક' જેવું શાસ્ત્ર એટલા માટે માત્ર યોગ્યતાવાળા જીવને જ વાંચવાનું છે. નહીં તો અભિમાન જેને કાઢવાનું છે તે જ, વધી જાય અને તરવાને બદલે બૂડે. એટલા સારુ માત્ર ગુરૂગમે જ રસ્તો કહ્યો છે. આત્માના અનંત ગુણ પ્રગટે તેમ તેમ તેને અહંભાવ મટી, ભકિતથી વિનયભાવ પ્રગટે.
મિથ્યાત્વી હોવાથી પોતાના દેષ તો ક્ષણે ક્ષણે અનેક થયા કરે છે, તેની સંગુરુ-બોધે સમજ પડે અને અવળે માર્ગેથી વળી સાચા મા આવે. તે સર્વ માટે દીનભાવ, સર્વથી વધુ દોષવાળો તો હું છું; માત્ર તે દોષનું મને ભાન થયું નથી, તે સત્વર થાઓ. અને જે સદુગુરુએ અનંત દયા કરી સત્ય માર્ગ બતાવ્યો તેને ઉપકાર જન્મોજન્મ ન ભૂલું, સદા તેમની ભકિત તથા ચરણસેવા મને મળે એ જ મારું સદ્ભાગ્ય; તેને ચરણાનુયોગ કહ્યો. તે વગર કરૂણાનુયોગની શ્રેણી મળે નહીં. મહાવીર પ્રભુ થઈ ગયા, તેમણે માર્ગ પ્રકાશ્યો. પરંતુ તેમને ઓળખાવનાર શ્રીમદ્ રાજગુરુ છે. માટે તે સદ્દગુરુને અપાર ઉપકાર છે. અને જેમ તેમની ભક્તિ અને આજ્ઞા મનાશે, તેમ જ મહાવીર પ્રભુની ઓળખાણ થશે. આત્માથી દર્શન થાય ત્યારે ખરું કહેવાય માત્ર મોઢેથી બોલ્ય શું ?”
શ્રીમદ્ રાજચંદ્રનો સમાગમ શ્રીમદ્દ લઘુરાજ સ્વામીને સંવત ૧૯૪૯ માં મુંબઈમાં થયો; તે વખતે તેમને સમાધિ-શતકના પ્રથમ ૧૭ શ્લોકો સમજાવી, તે પુસ્તક સ્વાધ્યાય અર્થે તેમને સમપ્યું હતું. તે પુસ્તકના અગ્ર પૃષ્ઠ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર સ્વહસ્તે “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે” લખી આપ્યું હતું, તે લક્ષ રાખી શ્રીમદ્ લઘુરાજ સ્વામીએ ત્રણ વર્ષ મૌન આરાધ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org