SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] પૂજ્યપાદ સ્વામીનું બીજું નામ દેવાંદી તથા જિનેન્દ્ર-બુદ્ધિ પણ હતું. તેમણે ‘શબ્દાર્ણવ’, ‘જૈનેન્દ્ર વ્યાકરણ’, ‘ઇષ્ટાપદેશ’, ‘સમાધિશતક’, ‘સિદ્ધભક્તિ’, તત્ત્વાર્થસૂત્રની ‘સર્વાર્થસિદ્ધિ’નામની ટીકા ઇત્યાદિ ગ્રન્થા રચેલા છે. પંડિત જુગલકિશેાર મુખ્તારપૂજ્યપાદ સંબંધી નીચે પ્રમાણે જણાવે છે: “પૂજ્યપાદ સ્વામી કર્ણાટક દેશના નિવાસી હતા. કન્નડ ભાષામાં લખાયેલા ‘પૂજ્યપાદ ચિરતે' તથા ‘રાજાવલીકથે' નામના ગ્રન્થોમાં તેમના પિતાનું નામ માધવ ભટ્ટ તથા માતાનું નામ શ્રીદેવી જણાવ્યું છે. બ્રાહ્મણ કુલમાં તે જન્મેલા છે એમ લખ્યું છે. પ્રસિદ્ધ વ્યાકરણકાર પાણિની તેમના મામા હતા, એમ પણ તેમાં બતાવ્યું છે. પણ સમયાદિની દૃષ્ટિથી તે વિશ્વસનીય જણાતું નથી. પૂજ્યપાદ સ્વામીએ તે વખતના ઘણું કરી સર્વ મહત્ત્વના વિષયો ઉપર ગ્રંથની રચના કરી છે. તે અસાધારણ વિદ્રાન હતા. ‘વિશ્વવિદ્યાભરણ’ ‘જિનેન્દ્રબુદ્ધિ’ જેવાં મહત્ત્વપૂર્ણ વિશેષણાથી વિદ્વાનોએ તેમના ઉલ્લેખ કર્યો છે. સેવાપરાયણેમાં અગ્રગણ્ય તે ગણાયા છે; તે મહાન દાર્શનિક હતા, અદ્રિતીય વૈયાકરણ હતા, અપૂર્વ વૈદ્ય હતા, ધુરંધર કવિ હતા, ભારે તપસ્વી હતા, સાતિશય યોગી અને પૂજ્ય મહાત્મા હતા. કર્ણાટકના ઘણા ખરા પ્રાચીન કવિઓએ તથા ઈસ્વી સનની આઠમી, નવમી અને દસમી શતાબ્દીના વિદ્વાનાએ પોતાના ગ્રન્થામાં ભારે ભક્તિ શ્રાદ્ધા સહિત તેમનું સ્મરણ કર્યું છે, તથા મુક્ત કંઠે અત્યંત પ્રશંસા કરી છે. તેમના જીવનની અનેક ઘટના છે, જેમકે ૧ વિદેહ ગમન; ૨ ઘાર તપશ્ચર્યાને લીધે આંખોનું તેજ નાશ પામેલું પણ ‘શાન્યષ્ટક’ના એકનિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક પાઠથી ફરી તેજ પ્રાપ્ત થયું હતું; ૩ દેવતાઓએ તેમના ચરણની પૂજા કરેલી તેથી પૂજ્યપાદ કહેવાયા; ૪ ઔષધિઋદ્ધિની પ્રાપ્તિ; ૫ તેમના ચરણામૃત ( પગ ધોયેલા પાણી )થી લાઢાનું સુવર્ણ થયેલું. આમાં કંઈ અસંભવિત નથી. મહા યોગીઓના સંબંધમાં તેમ બનવું શકય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy