________________
[૧૧] કરવાની આજ્ઞા કરેલી અને તેને પરમાર્થ તેમના હૃદયમાં ગુરુકૃપાથી પ્રગટ થયો હતો. સંવત ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ શ્રી લઘુરાજ સ્વામીએ શ્રી સીમરડામાં કર્યું હતું. એ જ ગામમાં આ અનુવાદની પણ શરૂઆત થઈ, પૂર્ણાહુતિ થઈ છે, તે શ્રી લઘુરાજ સ્વામીના ભક્ત આદિ વર્ગને અપૂર્વ હિત પ્રાપ્ત થવામાં નિમિત્તરૂપ બનો એ અભ્યર્થના છે.
સમાધિરાતક વેદાંત સંસ્કૃતિમાં જેમ યોગવાસિષ્ઠ રામાયણ’ શિષ્ટ ગ્રન્થ છે, તેમ જૈન સંસ્કૃતિમાં પ્રખ્યાતિ પામેલા શ્રી પૂજ્યપાદ સ્વામીને “સમાધિશતક નામે લઘુ પણ શિષ્ટ ગ્રંથ છે. પ્રાચીન અને પ્રમાણભૂત આ ગ્રન્થ ઘણા અધ્યાત્મરસિક જીવોને મુખપાઠ થયેલ હોય છે. તેથી તેનું વિવેચન તેવા તત્ત્વરસિક જનોને પ્રિય અને હિતકર નીવડશે.
મૂળ ગ્રન્થકર્તા શ્રી પૂજ્યપાદ સ્વામી સંબંધી કંઈક માહિતી શ્રી મેહકમલાલ જેને નીચે પ્રમાણે હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરેલી છે :
“શ્રી પૂજ્યપાદ સ્વામી, ૧૧ મા આચાર્યને સંક્ષિપ્ત પરિચય : શ્રી પૂજ્યપાદ સ્વામી વિ. સં. ૨૮૧ માં જન્મ્યા હતા. પૂર્વજન્મના શુભ સંસ્કારોથી તેમણે થોડા જ વખતમાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. તે બાળ બ્રહ્મચારી હતા. ૧૫ વર્ષની લઘુ વયમાં તેમણે દિગમ્બર જૈન દીક્ષા લઈ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી હતી. તેમને અનેક ઋદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તે કાળમાં તેમના તપની પ્રશંસા ચારે દિશામાં થતી હતી. અનેક રાજા મહારાજા તેમના પરમ ભક્ત થયા હતા. મહર્ષિઓમાં પણ તે સર્વોપરી રત્નત્રયધારક હતા. તેમણે વૈદ્યક, રસાયણ, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત આદિ અનેક વિષયો પર શાસ્ત્રો રચ્યાં છે.
તે મહાત્મા ૧૧ વર્ષ ૭ માસ સામાન્ય મુનિપદમાં રહ્યા અને જેઠ સુદ ૧૪ રાં. ૩૦૮ શુક્રવારે આચાર્યપદ પર બિરાજ્યા.
તેમના આચાર્યપણાના કાળમાં હજારો મુનિ, બ્રહ્મચારી વર્ગ આદિ સહ મોટો સંઘ ધર્મ આરાધતો હતો.
અંતે આચાર્યપદને ત્યાગ કરી સામાન્ય મુનિપદ સ્વીકારી, ૭ દિવસના અનશન નામના તપને ધારણ કરી, સંન્યાસપૂર્થક સમાધિ-મરણ તેમણે કર્યું. તેમનું પૂર્ણ આયુષ્ય ૭૧ વર્ષ, ૬ માસ, ૨૧ દિવસનું હતું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org