________________
[૧૦] આવવા માટે સત્સંગ, સદૂગુરુ અને સન્શાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે.
તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વચનાબુદ્ધિએ પ્રવર્તે તે કોઈ દિવસ કલ્યાણ થાય નહીં.” સં. ૧૯૫૦
“ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમ કે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તત નથી, સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય-ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીને ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે.
‘યોગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે.” સં. ૧૯૫૨
“ યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ, “પંચીકરણ”, “દાસબોધ તથા “વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમને કોઈ ગ્રન્થ તમે પૂર્વે વાંચ્યો હોય તે પણ ફરી વાંચે યોગ્ય છે, તેમ જ વિચાર યોગ્ય છે. જેનપદ્ધતિના એ ગ્રન્થ નથી એમ જાણીને તે ગ્રન્થો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય નથી. | લોકદૃષ્ટિમાં જે જે વાત કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકદૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવા યોગ્ય છે.” સં. ૧૯૫૩
આ એક આશ્ચર્યકારક ઘટના છે કે કોઈએ “લઘુયોગવાસિષ્ઠસાર” નામ જે ગ્રન્થનું આપ્યું છે, તેનો ગુર્જર અનુવાદ “શ્રી લઘુરાજ
સ્મારક ગ્રન્થમાળા”ના પાંચમા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થાય છે. શ્રી લઘુરાજ સ્વામીને શ્રીમદ્ રાચંદ્ર “યોગવાસિષ્ઠ રામાયણ”ને અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org