________________
૧૨૨
ગ્રન્થ-યુગલ
દંભ કરનારા મિથ્યાત્વી અને માયાવી કરે છે. તેવી વાજાળમાં મુમુક્ષુ જીવે ન ફસાવું.
તે કેઈને પૂછવાનું મન થાય કે આત્માને અનુભવ કેમ થતું હશે? તેને ઉત્તર, “હું સ્વ-સંવેદ્યસ્વરૂપ છું” એમ, અંતરાત્મા આપે છે. પિતાને પોતાને અનુભવ થઈ શકે છે, અનુભવકાળમાં નિઃશંકપણે “આ હું એમ ભાસે છે; તેથી આત્માને “સ્વયંતિ ’ વિશેષણ પણ અપાય છે. બીજાના પ્રકાશથી આત્મા પ્રકાશે તે પદાર્થ નથી. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે –
સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કેટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા ગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવ પ્રત્યે ઉપગ વાળતાં પ્રગટ દેખાય છે.”
આત્માને દેખનારને શું લાભ થાય છે, તે આગળના શ્લેકમાં ગ્રંથકાર હવે કહે છે – . क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः ।
बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ॥२५॥ રાગાદિ આ ભવે જાયે, ઓળખે તત્વથી મને, જ્ઞાનરૂપે મને જાણ્ય, શત્રુ-મિત્ર ન કે બને. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org