________________
સમાધિશતક-વિવેચન
૧૨૧ બહિરાત્મદશાને સુષુપ્તિ સાથે સરખાવતાં કહે છે કે આત્મભાન વિના હું બહિરાત્મદશામાં ઊંઘતે હતે, આત્મભાન થતાં હું જાગ્યો. શ્રીમદ્ રાજચંદ્ર “પુષ્પમાળાના પ્રથમ પુષ્પમાં આ વાત સુંદર રીતે દર્શાવે છે ?
“રાત્રિ વ્યતિકમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટાળવાને પ્રયત્ન કરજે.”
જેના અભાવે હું ઊંઘતો હતું, જે થવાથી હું જાગી ઊડ્યો, તે આત્મભાન કેવું છે, તેનું વર્ણન ગ્લૅકની બીજી પંક્તિમાં કર્યું છે. “ોડનું વર્ણન ગયા પ્લેકમાં હતું તે જ, આમાં ઊંઘનું દ્રષ્ટાંત આપી અંતરાત્મદશારૂપ જાગૃતિ જણાવી છે. જાગીને જોતાં હું અતીન્દ્રિય સ્વરૂપ છું એમ મને અનુભવાયું. ગમે તેટલા કાળ સુધી, અનેક શોધ-ખેળના આધારે, આત્માને નિર્ણય ઈન્દ્રિ દ્વારા કરવા ધારું, તે તે સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડે એવું મારું સ્વરૂપ છે, એમ મને નિશ્ચિતપણે અનુભવાયું. કારણ કે ઇન્દ્રિયે, પુદ્ગલ દ્રવ્યના ગુણો જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ છે, તેને જ ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે. પણ અરૂપી પદાર્થ ઈન્દ્રિયેથી ગ્રહણ થઈ શકતા નથી. અને આત્મા ચૈતન્ય લક્ષણવાળા અરૂપી પદાર્થ છે, તે ઇન્દ્રિયને વિષય નથી, માટે ઇન્દ્રિ દ્વારા આત્માની શોધ કરવા ઇછે તે નિષ્ફળ જ નીવડે. .
ગાય પાસે કોઈને લઈ જઈ, તેનું શિંગડું પકડી “આ ગાય” એમ બતાવી ઓળખાવીએ, તેમ તીર્થકર જેવા સર્વલબ્ધિધારી જ્ઞાની પણ આત્માને “આ આત્મા એમ બતાવી શક્યા નથી, તેથી આત્મા અનિર્દેશ્ય છે એટલે આત્મા બતાવી શકાય તે પદાર્થ નથી. તેથી આત્મા બતાવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org