________________
૧૧૬
ગ્રન્થયુગલ
અને તે ટાળવા ઇચ્છા રાખતા, પુરુષાર્થ કરતા અને દુઃખી પણ થતા. અનંત કાળથી જીવની આ પ્રકારની ચેષ્ટા હતી; તેથી જીવ દુઃખી દુઃખી થઈ રહ્યો હતા.
“ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત —શ્રીમદ્ રાજચન્દ્ર આત્મસિદ્ધિ નળ રાજાના વિરહથી ઉન્મત્ત થયેલી દમયંતી સતી જેમ ઝાડના ઠૂંઠાને નળ રાજા માનીને પ્રેમપૂર્વક તેના તરફ જતી હતી, તેમ આત્મબ્રાંતિથી દેહને પેાતાનું સ્વરૂપ જાણી આ અજ્ઞાની જીવે રત્નચિંતામણિ જેવા આ દુર્લભ માનવભવ અત્યાર સુધી દેહને અર્થે વૃથા પરિશ્રમ કરવામાં ગાળ્યા, એમ આત્મજ્ઞાન થાય ત્યારે અંતરાત્માને સમજાય છે. હિરાત્મદશા છૂટતાં જીવનપલટ થાય છે અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તથા માનવદેહને મેાક્ષના સાધનરૂપે વાપરે છે. તેનું તે દૃષ્ટાંત લખાવી હૂડાને પુરુષ માનવાની ભ્રાંતિ ટળવાથી કેવી ચેષ્ટા થાય છે તે ગ્રંથકાર આગળની ગાથામાં ગાય છે:
:
यथाऽसौ चेष्टते स्थाणौ निवृत्ते पुरुषाग्रहे । तथा चेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ॥ २२ ॥ મનુષ્ય-માન્યતા ટાળી, હૂડા પ્રત્યે પ્રવર્તતા; તેમ ભ્રાન્તિ ટળી ત્યારે, દેહાદિ ભિન્ન માનતા. ૨૨
""
-
ભાવાર્થ ઃ— પંદરમી ગાથામાં દેહ તે હું છું” એ માન્યતા સંસારનું મૂળ છે એમ જણાવ્યું હતું, તે માન્યતા તજવાને ઉપદેશ આપ્યા હતા. આ ગાથામાં પણ દૃષ્ટાંતપૂર્વક એ જ વાત સ્પષ્ટ કરી છે કે દેહને આત્મા માનવાના આગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org