________________
સમાધિશતક-વિવેચન
૧૧૭ અનાદિ કાળથી જીવને હવે તે સદ્દગુરુના ઉપદેશે દુઃખરૂપ માનવાથી બહિરાત્માએ મૂકી દીધો. તેનું ફળ શું આવ્યું તે વિષે કહે છે. ટૂંઠાને પુરુષ માની તેથી ભય પામતે હતે કે મને લૂંટી લેશે, તે ભય જેમ દૂર થવાથી તે નિર્ભય બને છે, તેમ આત્મા નિઃશંકપણે સત્ છે, પરમાનંદરૂપ છે એ નિશ્ચય થતાં દેહને આધારે દુઃખી કે સુખી થવાની કલ્પના છૂટી જવાથી આખા સંસારની ઉપાધિ તેના મનમાંથી ખસી જાય છે. પૂર્વના પ્રારબ્ધકર્મવેગે સંસારમાં પ્રવર્તવું પડે, પણ તેને જે તેના મન ઉપર રહેતું નથી. પોતાપણું ટળી જવાથી શેઠની દુકાન ચલાવનાર નેકરને નફા-તેટાના વિકલ્પો નથી રહેતા તેમ બધાં કામ કરવા છતાં, તેને મારાપણને જે નથી હોતો.
દેહની માતા, દેહના પિતા, દેહને પુત્ર, દેહ, દેહનાં સગાં-સંબંધી, દેહને નામે મિલક્ત, વેપાર, આબરૂ, માનઅપમાન, ઓળખાણ-પિછાન, દેહને દેશ, દેહનાં સુખ, દેહનાં દુઃખ, દેહને સંસાર અને દેહના કલેશે મનાતાં, તે બધા પ્રત્યે ઉદાસીનતા, વૈરાગ્ય વર્તે છે તે પ્રવૃત્તિ ટાળી આત્મહિતનાં સાધન, સતદેવ, સગુરુ, સદૂધર્મ, સત્સંગ, સવાચન, વિચાર, આત્મભાવના, આત્મશુદ્ધિ, સર્વસંગપરિત્યાગ, મહાપુરુષેની આચરણા, મેક્ષમાર્ગમાં પ્રયાણ આ પોતાનાં લાગે છે, તેને શેધે છે, તેને અર્થે પુરુષાર્થ કરે છે, અને તેમાં તન્મય બને છે. - પ્રથમ દેહને અર્થે જે ઈચ્છતો, ગ્રહણ કરતે, સંતોષ પામતે તેને બદલે આત્માર્થી થવાથી તેની ઈચ્છા, તેને પુરુષાર્થ, પ્રવર્તન અને સુખની માન્યતાને ધ્યેય શુદ્ધ આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org