________________
સમાધિશતક-વિવેચન
૧૧૫ ભાવાર્થ - કરમસદ ગામના કોઈ એક ગૃહસ્થ ગંભીર ગામે જવા પાસે પૈસા લઈ ત્રણ-ચાર વાગ્યે રાત્રે નીકળેલા. થોડે દૂર ગયા પછી તેમને વાડમાં કોઈ છુપાઈ રહ્યું હોય તેમ લાગ્યું. મનમાં વહેમ પડ્યો કે કોઈને બાતમી મળી હોય કે આ રાત્રે પિસા લઈને જવાના છે, તેથી તે રાહ જોઈને છુપાઈ રહ્યો લાગે છે. તેથી મારે પણ તેને ખબર પડે તે પહેલાં સંતાઈ જવું ઠીક છે, એમ જાણી, તે એક બાજુ ઝાડવામાં લપાઈ રહ્યા અને નિર્ણય કર્યો કે તે દેખાતું બંધ થાય એટલે થાકીને જતે રહે, ત્યાર પછી આગળ જવું એમ કરતાં સવાર થયું. ત્યારે પ્રકાશમાં જણાયું કે ત્યાં કોઈ માણસ નહતું પણ હિરેરાનું થડ ધાળું માણસ જેવું અંધારામાં લાગતું હતું થડ છે એમ નિર્ણય થયે નહોતે ત્યાં સુધી અનેક વિકલ્પ ઊઠતા કે જે હવે ન ખસે તે પાછા જઈ પિલીસને ખબર આપી તેને પકડાવ, કે બીજા ગામ ઉપર થઈ લાંબે રસ્તે જવું તે એકદમ દેડી આવે કે બીજા માણસોને લઈને આવે તે શું કરવું આદિ અનેક ભય અને બચાવના વિકપ તે કરતા હતા. આ બનેલા બનાવ જેવું ગ્રંથકારે દૃષ્ટાંત આપ્યું છે કે ઝાડના ઠૂંઠાને પુરુષ માનવારૂપ બ્ર તિ જેને ઉત્પન્ન થઈ છે તે જેમ અનેક વિકલ કરી શત્રુ-મિત્ર આદિ તરીકે તેને માને છે, તેથી તેને જીતવાની કે પ્રસન્ન આદિ કરવાની ફિકર ર્યા કરે છે, તેમ બહિરાત્મા થડ જેવા આ દેહને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિમાં પડ્યો હતો, ત્યારે દેહને ઉપકારક જે જે સામગ્રી મળે તે પ્રત્યે રાગ કરતે, તેવી તેવી સામગ્રી મેળવવા મથત, કષ્ટ વેઠતે, ખર્ચ કરતે દેહને પ્રતિકૂળ જણાય તે પ્રત્યે દ્વેષ કરતે, તેનું અપમાન કરતે, યુદ્ધ કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org