________________
સમાધિશતક-વિવેચન
૧૧૧ આત્મારૂપે રહે તે પરપદાર્થોને મેહ મટી, સ્વરૂપસુખ પ્રગટે એ આ નિવિકલ્પ દશા સાધવાને વેગ કહ્યો. બાહ્ય વાણી રેકવાને અ૫ વિચાર આ પ્લેકમાં મુખ્યપણે કહ્યો છે.
હવે ધર્મ સંબંધી, બેધ વિષે ઊઠતા વિકલ્પો શમાવી, અંતર્વાચા રેવાને ઉપાય દર્શાવતાં જ્ઞાની મહાત્મા જણાવે છે:
यत्परैः प्रतिपाद्योऽहं यत्परान् प्रतिपादये । उन्मत्तष्टितं तन्मे यदहं निर्विकल्पकः ॥१९।। સ્વરૂપ સમજાવું હું,” “મને હે ઉપદેશક, ઉન્મત્ત મત એ મારે, આત્મા તો નિવિકલ્પક. ૧૯
ભાવાર્થ – જે જીવને સદ્ગુરુગે તેના બધે આ સંસાર અસાર સમજાવે છે, જન્મ-મરણાદિ કલેશવાળા સંસારને ત્યાગવાની ભાવના જાગી છે, અનિત્યભાવના જેના હૃદયમાં રહ્યા કરે છે, માતાપિતા આદિને મોહ મચ્યો છે, તેમના સ્વાર્થરૂપ સંબંધ પ્રત્યે ઉદાસીનતા રહ્યા કરે છે, ત્રિવિધ તાપનાં દુઃખ જેને અસહ્ય થઈ પડ્યાં છે, પરિગ્રહ, આરંભ અને સર્વ સંગ જેને મહા આસવરૂપ સમજાયા છે એવા જીવને ઉપદેશબંધ પરિણમ્ય ગણાય. તેને સિદ્ધાંતબોધની યેગ્યતા આવી ગણાય. સદ્ગુરુકૃપાથી વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાય, ત્યારે તે સ્વરૂપમાં સ્થિતિ થવાને અર્થે બાહ્ય અને અંતર્વાચાને ત્યાગ ઉપદે છે. તે જે જીવને યથાર્થ ન સમજાય તે પ્રથમથી જ સદ્ગુરુ-ગ અને તેની આજ્ઞા વિના એકાંતમાં વાણી તજવા પ્રયત્ન કરે તેથી જીવના સ્વરૂપનું ભાન થવું જ અશક્ય છે તે સ્થિરતા તે ક્યાંથી પ્રાપ્ત થાય ? જીવને રખડી મરવાનું થાય, તેમ ન બને માટે આટલી ચેતવણી આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org