________________
૧૧.
ગ્રન્થયુગલ જેને હવે ઉપદેશબોધની જરૂર નથી; વાણીને વિક્ષેપ ટાળતાં પરમાત્મપદ પ્રગટે એવી જેની ઉચ્ચ આત્મભૂમિકા બની છે, તેમ છતાં ઉપદેશચં કે ઉપદેશકના ઉપદેશે સાંભળવાની વૃત્તિ કંઈ રહ્યા કરતી હોય તેમને ગ્રંથકાર ઉપદેશે છે કે, કોઈ મહાત્મા મને આત્મસ્વરૂપનું પ્રતિપાદન કરે અને હું તે ઉપદેશ એકાગ્રભાવે સાંભળ્યા કરું એવી અંતરંગમાં ભાવનારૂપ વાણીની પ્રવૃત્તિ પણ એગ્ય નથી, તેમ જ જગતના જીવનું અજ્ઞાન દૂર થાય તે અર્થે તેમને આત્માનું સ્વરૂપ સમજાવી તેમને અનંત સુખના માર્ગે ચઢાવું એવી ભાવનારૂપ અંતર્વાચા પણ રેકવી ઘટે છે, કેમકે શુભભાવ પણ પુણ્યબંધનું કારણ તથા શાંત પરિણામમાં વિક્ષેપરૂપ છે. કારણકે અંતરાત્માએ એમ વિચારવું ઘટે છે કે આત્મા તે નિર્વિકલ્પરૂપ છે તે મારા નિર્વિકલ્પ સ્વરૂપમાં ધર્મને નામે બેધ મળે” કે “બોધ દઉ એવા વિચારે કર્યા કરું તે એક પ્રકારનું ગાંડપણ છે. જે ભૂમિકામાં જે ન ઘટે તે કર્યા કરવું તે યથાર્થ સમજ નથી, પણ ઉન્મત્તતા છે. આવી સમજણ રાખી અંતર્વાચા પણ રેકે તે શ્રી આનંદઘનજીના શ્રી મહાવીર સ્તવનમાં છેવટે જણાવી છે તે દશા પ્રગટે. “આલંબન સાધન જે ત્યાગે, પરંપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્ય, આનંદધન પ્રભુ જાગે રે.
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે” પિતાનું ખરું સ્વરૂપ શું છે, તેની સ્મૃતિ આપવા ગ્રંથકારે અંતરાત્માના મુખમાં નીચેની ગાથા મૂકે છે –
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम् ।।२०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org