SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૧૦૯ વખત થયે ત્યારે શિષ્ય ગુરુની આજ્ઞા લઈ ભિક્ષા માટે વસ્તીમાં ગયે; પોપટને બધી બીના કહી. પોપટ સમજી ગયો. મહારાજ ગયા પછી “ચીં ચી” શબ્દ કરી, પાંખો ફફડાવી, તે સળિયા પરથી પાંજરામાં પડી ગયું. છેકયાં આવીને જુએ તે પોપટ બેભાન જણાયે, તેથી પાંજરું છોડી અગાશીમાં વાવાશ ખુલ્લું કરીને બધાં જમવા ગયાં. પોપટ પાંજરામાંથી નીકળી ઊડી ગયે. આ રહસ્યમય કથા બહુ વિચારવા યોગ્ય છે, તેમાં મુક્તિમાર્ગ દર્શાવ્યો છે. વચનસંયમ કેવા વિચારે સાધ્ય થાય તે જણાવવા ગ્રંથકાર મૂળ દ્રવ્યોનું સ્વરૂપ સમજાવતાં કહે છે : यन्मया दृश्यते रूपं तन्न जानाति सर्वथा । जानन दृश्यते रूपं तत. केन ब्रवीम्यहम् । १८॥ જે મને રૂપ દેખાય, તે તે જાણે ન સર્વથા; જાણે તે તે ન દેખાય, તેની સાથે કરું કથા ? ૧૮ ભાવાર્થ:- બાહ્ય વાણી અને અંતર્જલ્પરૂપ અંતર્વાચા સંપૂર્ણપણે તજવીતે ચિત્તનિરોધરૂપ સમાધિ કે સ્વસ્વરૂપે સ્થિતિ કરવારૂપ ગ જણાવી, તેના સાધનરૂપ ઉપદેશ પ્રદર્શિત કરે છે કે જે જે રૂપી પદાર્થો, દેડાદિ શબ્દોથી ઓળખાતા મને નજરે ચઢે છે, તે કઈ જાણવાની શક્તિવાળા નથી. જેમ ભીંત સમજી શકતી નથી, તેની સાથે કઈ વાત કરતું નથી, તેમ દેહાદિ દૃશ્ય જગત તે કંઈ જાણતું નથી. તે કેની સાથે વાત કરવી ? જે જાણે તેની સાથે વચન વડે વ્યવહાર કરે ઘટે. આમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ ગુણો જે પદાર્થમાં હોય છે તે પુદ્ગલ કે રૂપી પદાર્થ કહેવાય છે. તે ૧ રહસ્યાર્થી માટે જુઓ પત્રસુધા પત્ર નં. ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy