________________
સમાધિશતક-વિવેચન
ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુ:ખથી મુક્ત થાય છે.”
અહિરાત્મદશાથી સંસારમાં જીવની જે દુઃખદ દશા થઈ પડી છે તે જોઇ આ ગ્રંથકારને ખેદ થાય છે તે હવેના Àાકમાં વર્ણવે છે :
૧૦૧
देहेष्वात्मधिया जाता: पुत्रभार्यादिकल्पनाः । संपत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ १४ ॥ દેહમાં આત્મબુદ્ધિથી, પુત્રાદિ નિજ કલ્પતે; મહત્તા માની પોતાની તેમાં, હા ! જગ-હાણુ જે. ૧૪
ભાવાર્થ :— દેહને જ આત્મા માનવાની કુટેવ પડી ગયેલી હાવાથી અહિરાત્મા પુત્રના દેહને જ પુત્ર, પત્નીના દેહને જ પત્ની, પિતાના દેહને જ પિતા, માતાના દેહને જ માતા કલ્પી, હું પુત્રવાળા છું, પત્નીવાળા છું, હું માબાપવાળા છું, મોટા કુટુંબવાળા છું, સ-ખાંધવ છું, એમ માની કલ્પનાને સંપત્તિ માને છે અને જ્યારે તે તે કલ્પિત સંબંધ મરણ, અણુબનાવ વગેરે પ્રસંગે છૂટે છે ત્યારે કલ્પાંત કરે છે. પુત્ર ઉપરના માહને લઈને તેના જન્મથી જ પ્રસન્ન ખતી રાગભાવની વૃદ્ધિ કરે છે અને સંસારના કારણરૂપ કર્મ કમાવાના ધંધા ચલાવ્યા કરે છે. તેના શરીરને અનુકૂળ ખાન, પાન, વસ્ત્ર, અલંકાર આદિ એકત્ર કરે છે, તેની ચિંતા કરે છે; તેને રાગ થાય તેા ખેદ કરે છે, એને બદલે મને દુઃખ આવ્યું હાત તે સારું એમ ઇચ્છે છે, દવા આદિની ગાઠવણ, ખર્ચ વગેરે વડે તેને રોગ ટાળવા આતુર રહે છે તે ચિડાય, પજવે, દુ:ખ દે તેને તે ગણતા નથી, મારે તે માર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org