________________
સમાધિશતક-વિવેચન સ્વરૂપ માની અનાદિને વિપરીત માર્ગ આરાધી દુઃખી, દુઃખી રહ્યા કરશે, માટે આ જ ભવમાં ચેતવા ગ્ય છે એમ કરુણ કરી ગ્રંથકાર ઉપદેશે છે.
દેહબુદ્ધિ અને આત્મબુદ્ધિનાં પરિણામ કેવાં ભિન્ન આવે છે તે હવે ગ્રંથકાર જણાવે છે –
देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥१३॥ દેહાત્મબુદ્ધિ દેહોનાં કારણે મેળવે નકી; આત્મામાં આત્મબુદ્ધિમાન, દેહની કેદ દે મૂકી. ૧૩
ભાવાર્થ – દેહ તે જ હું છું એવી દેહાત્મબુદ્ધિ જન્મમરણનું કારણ છે, માટે તજવા ગ્ય છે, નહીં તે પરભવમાં પણ તે સાથે જાય છે અને દીર્ઘ સંસારનું કારણ થાય છે એમ જણાવી, હવે આ ભવની પ્રવૃત્તિ પણ કેવા કારણને આધારે વર્તે છે તે ગ્રંથકાર કહે છે.
જેને દેહમાં પ્રીતિ વર્તે છે તે દેહના વિચાર કરે છે, દેહને પોષવાને, સુંદર બનાવવાને, લેકમાં દેહ પ્રશંસાપાત્ર બને તે અર્થે પ્રવર્તે છે. પરભવના કદી વિચાર આવે તે દેવ આદિને દેહ મળે કે રાજકુટુંબમાં જન્મ થાય અને ત્યાં વિશેવ દૈહિક સુખ મળે તે અર્થે દાન, પુણ્ય, તપ આદિમાં પ્રવર્તે છે. જેવી જેની માન્યતા તે આધારે આ ભવની પ્રવૃત્તિ પણ થાય છે. માટે યમ, નિયમ, જપ, તપ આદિ પ્રયત્ન કર્યા કરવા કરતાં પ્રથમ યથાર્થ માન્યતા થાય તે અર્થે જીવે સત્સંગ, સન્શાસ્ત્ર અને સવિચાર દ્વારા લૌકિક ભાવે દૂર કરી, અલૌકિક ભાવ સમજવાનું અને સ્વીકારવાને પુરુષાર્થ કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org