________________
૯૮
ગ્રન્થયુગલ છે, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યોને–પુત્ર, મિત્ર, કલત્ર, ધન, ધાન્યાદિને પોતાનાં માને છે, તથા મળમૂત્રથી ભરેલા વાસણ જેવા સ્વ અને પના દેહાદિ અશુચિ પદાર્થોને શુચિ, પ્રીતિ કરવા લાયક, પ્રાપ્ત કરવા ગ્ય માને છે; સ્વમ જેવા થોડી મુદત ટકનાર આ અનિત્ય સંગોને સદાય આમ ને આમ રહેનાર કે સાથે આવનાર નિત્યરૂપે માને છે, જે નાશ પામનાર છે કે આપણે તેને મૂકીને ચાલ્યા જવાનું છે તે તેને મેહ કરી મૂંઝવણ શા માટે ઊભી કરવી એ વિચાર અવિદ્યાને લીધે આવતા નથી કે ટકો નથી; પણ મમતા વધ્યા જ કરે છે.
અનિત્ય પદાર્થો પ્રત્યેના મેહને લીધે જીવને સાચે વિચાર જાગતું નથી, કેઈ જ્ઞાની પુરુષનાં વચને સાંભળે, કે વાંચે તો તેથી જેવી જોઈએ તેવી જાગૃતિ પ્રગટતી નથી, પિતાની ભૂલ સમજાતી નથી; દેહમાં વિચાર કરનાર વસે છે, તેને વિચાર આવતો નથી. “શું કરવાથી જે તે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીધ્ર જવા.
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુ:ખરંગ.”
--શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ મનુષ્યભવ મળે છે, તેમાં આત્મહિત સાધી શકાય, અવિદ્યા છેદી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય તેમ છે; ત્યાં પણ જીવ જે નહીં ચેતે તે આ દેહ તજી જીવ જ્યાં જશે, અને જે દેહ પ્રાપ્ત કરશે ત્યાં પાછા દેહને જ પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org