________________
સમાધિશતક-વિવેચન
પુત્રની પેઠે સ્ત્રી, પિતા, માતા આદિ સર્વ પર દેહને દેખી બહિરાત્મા રાગ-દ્વેષ કરી કર્મ બાંધે છે તથા નવા દેહ ધારણ કરવાનાં કારણો સેવે છે.
આ વિભ્રમથી અવિદ્યારૂપ સંસ્કાર બળવાન બની પરભવમાં પણ સાથે જાય છે અને બહિરામપણું ભભવ જીવ અનુભવે છે તે વાત આગળની ગાથામાં ગ્રંથકાર મહાત્મા પ્રગટ કરે છે –
अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । यन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।।१२ ।
અવિદ્યારૂપ સંસ્કાર, તેથી તે દ્રઢ જામત તેથી પુનર્ભવે જીવ, પોતાને દેહ માનતે. ૧૨
ભાવાર્થ:- આ દ્રશ્ય જગતમાં અહંભાવ, મમત્વભાવરૂપ વિશ્વમ બહિરાત્મ-જીવને વર્તે છે; જગતની મહત્તા તેણે સાંભળી છે, વિચારી છે, માની છે અને અન્યને તેવી જ પ્રેરણા કરી છે, આ વિભ્રમના સંસ્કારો જીવ પરભવથી લાવ્યો છે, અહીં પોષે છે એટલે પરભવમાં પાછા બળવાન પણે કુરી આવે તેવા ગાઢ કરે છે, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ પોતાનાં છે, દેહરૂપ પોતાને ઉપકારી છે, એમ માની તેમના સમાગમમાં સુખની કલ્પના દૃઢ કરે છે, સંતોષ પામે છે, તેમના વિયેગમાં મહા સંતાપ પામે છે, અસહ્ય વિગ થઈ પડે ત્યારે આત્મઘાત પણ આદરે છે.
આવી વિચારણામાં જીવનારને દ્રઢ સંસ્કાર એટલે અવિચળ વાસના જામે છે, તેનું નામ અવિદ્યા શાસ્ત્રકારોએ પાડયું છે. તેના પ્રભાવે જીવ અનાત્મા એવા દેહને જ આત્મા માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org