________________
ગ્રન્થયુગલ
કૃષિમાં દેહને પેાતાનું સ્વરૂપ, કે પરના દેહને પરનું સ્વરૂપ માનનાર બધા રાવણુરૂપ છે; અહિરાત્મા છે.
૯૬
એ વિભ્રમ ક્યાં વર્તે છે ? તો કહે પુત્ર, સ્ત્રી, પિતા આઢિ કલ્પના પ્રત્યે પ્રવર્તે છે. પુત્રના દેહને તેનું સ્વરૂપ માનવાથી જીવ પુત્રનેા દેહ જોઈને પ્રસન્ન થાય છે, તેને રમાડે છે, તેને માટે ઘરેણાં, કપડાં, રમકડાં આદિની ચિંતા કરે છે, તેના રાગની દવા વગેરે કરે છે, તેના દુઃખે દુઃખી થાય છે, તેના વિયેાગે અતિ દુઃખી થાય છે. તેને માટે ઘર, વેપાર, પૈસા કે સગપણુના વિચાર કરે છે, પણ તેને મેાક્ષમાર્ગની પ્રાપ્તિ થાય કે તેનાં જન્મમરણ મટે તેના વિચાર તેને નથી આવતા; કારણ કે આત્માના અસ્તિત્વની પ્રતીતિ નહીં હાવાથી આત્મા સંબંધી વિચાર આવવા મુશ્કેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર એક પત્રમાં આ વિષે જણાવે છે:-- પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેાહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યેાગ્ય છે. જીવજો જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે, કેાઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું ર્યામાં મા રાખી નથી, અને કેાઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આના આ પુત્ર અથવા આને આ પિતા, પણ વિચારતાં આ વાત કેઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવા આ જીવ તેને પુત્રપણે ગણવા, કે ગણાવવાનું ચિત્ત રહેવું, એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી.”
અસાડ સુદ ૬, રવિ, સ`, ૧૯૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org