________________
ગ્રન્થ-યુગલ
શકતો કે નથી આત્મિક સુખ તરફ તેની દ્રષ્ટિ પણ થતી; તે જોઈ નિષ્કારણ કરૂણાશીલ ગ્રંથકાર તેની (બહિરાત્માની) સમક્ષ તેની દશા વર્ણવે છે.
જેમ કેઈ કુશળ વૈદ્ય દરદીને દેખતાં તેનું દરદ પરખી લઈ તેને કહે કે જેને તાવ આવતો હોય તેનું શરીર ફાટે, કમર દુઃખે, માથું દુખે, અશક્તિ રહ્યા કરે, ખોરાક ઉપર રુચિ થાય નહીં, આદિ સાંભળતાં દરદીને થાય કે મને આ કહે છે તેવું થયા કરે છે તેથી વૈદ્યો જેને તાવ કહે છે તેવું દરદ મને છે, તે મારે તેવા કુશળ વૈદ્યની દવા લેવી ઘટે છે. તેમ આ ગ્રંથમાં પ્રથમ બહિરાત્મદશા ગ્રંથકાર પોતે વર્ણવે છે.
તે સાંભળી વિચારવાનને લાગે કે આ લક્ષણો તે મારામાં વર્તે છે, તેથી આત્માની ત્રણ દશામાંથી અધમ દશામાં હું છું તે મારે તે દશા તજી ઉપરની દશા પ્રાપ્ત કરવા છે. આમ આન્નતિનો માર્ગ બતાવનારી આ કડીને વિચાર પોતાને માટે કરવા યંગ્ય છે, અને પોતે બ્રાંત દશામાં હોય તે તે દશા શાથી મટે એ વિચાર જાગૃત કરી, સદ્ગુરુની શોધ કરી તેની આજ્ઞા આરાધી વિચારદશા પ્રગટાવવા ગ્ય છે.
આત્મ-ભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.”
–શ્રીમદ્ રાજચંદ્ર-કૃત આત્મસિદ્ધિ “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.”
-શ્રીમદ્ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org