________________
સમાધિશતક-વિવેચન
દેહને જ પોતાનું સ્વરૂપ માનવારૂપ દેહાધ્યાસ સ્પષ્ટ કરવા ગ્રંથકાર આગળની ગાથામાં જણાવે છે કે જે જે ગતિને દેહ જીવને પ્રાપ્ત થયું હોય છે તે રૂપ જ પિતે છે, તેમ માને છે –
नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यञ्च तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।।८।। નરદેહે રહે છે તે, આત્માને નર માનતે; તિર્યંચદેહમાં હેર, દેવાંગે સુર જાણને. ૮
ભાવાર્થ-જે ગામમાં જન્મે તેને વતની જીવ પોતાને માને છે, તેમ નરદેહમાં રહેલે બહિરાત્મા પિતાને નર કે મનુષ્ય માને છે; નરને બદલે ખર કહે તે તેને બે ટું લાગે છે, ખર કે ગધેડાના ઘણા ભવ જીવે કર્યો છે, પણ જે દેહ મળે તે જ રૂપે પિતાને માનવાની ભૂલ જીવની નહીં ટળે ત્યાં સુધી ખરે કહેતાં ખોટું લાગે છે, તે પણ તેવા ભવ હજી ઘણી વાર ધવા પડશે અને દુઃખને પાર આવશે નહીં. આનું કારણ અજ્ઞાન, અવિદ્વત્તા કે બહિરાત્મપણું છે.
તિર્યંચ એટલે મનુષ્ય, દેવ કે નારકી સિવાયના જળચર, સ્થળચર, નભચર પ્રાણીઓ; તે ગતિમાં કીડી, મકેડી, કાગડા, કૂતરા, સાપ, દે આદિ સ્કૂલ, સૂક્ષમ દેહધારી જીવો પોતાને તે દેહરૂપ જ માને છે. તેમાંનાં મેટી સંખ્યાવાળાં પ્રાણુઓ તે મન વગરનાં જ હોય છે. એટલે માત્ર પૂર્વના સંસ્કારને લઈને સુખ દુખ વેદતાં દેહમાં જ પોતાપણાના ભાવ રાખ્યા કરે છે અને તે જ ભાવ લઈને બીજી ગતિમાં પણ જાય છે. જેમને મન હોય છે, તેમનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org