________________
સમાધિશતક-વિવેચન
૭૭
અંશે હોય ઈહાં અવિનાશી, પુગલજાલ તમાસી રે; ચિદાનન્દઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશીરેએ ગુણ વીરતણો ન વિસારુ, સંભારું દિનરાત રે.”
- શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સક્ઝાય. હવે દેહ સહિત, પરમ ઉપકારકારક શ્રી અરિહંત ભગવાનને અનેક નામે નમસ્કાર ગ્રંથકર્તા કરે છે –
वंशस्थछंदः जयन्ति यस्यावदतोऽपि भारतीविभूतयस्त र्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे, जिनाय तस्मै सकलात्मने
નમઃ રા. ન બેલતા તેય સુણાય ભારતીવિભૂતિ નિઃસ્પૃહ અહે! સદેહની; મનાય બ્રહ્મા, શિવ, બુદ્ધ, વિષ્ણુ કે,
જિનેન્દ્ર રૂપે સરખા ભજું ભલે. ૨
ભાવાર્થ – ભગવાન તીર્થંકરે કેવળજ્ઞાન પામી અનેક ધર્મચછક જીવને ધર્મબેધ દિવ્યધ્વનિથી કરે છે. પૂર્વ કર્મના ઉદયે વચન વર્ગણા અનેક અતિશયયુક્ત આત્માના સકળ પ્રદેશથી ખરે છે. સકળ હાજર રહેલા છે તે સાંભળે છે, સમજે છે, અને ઉલ્લાસ પામી આત્મોન્નતિ સાધે છે. છતાં શ્રી તીર્થકરને મેહને ક્ષય થયેલ હોવાથી બોલવાની ઈચ્છા સરખી હોતી નથી, તેથી તેમને નહીં બોલતા છતાં તેમની વાણીવિભૂતિ જયવંત વર્તે છે, એમ કહ્યું છે. વચનતિશય ઉપરાંત જ્ઞાનાતિશય, અપાયઅપગમ અતિશય અને પૂજા અતિશય આદિ અનેક આશ્ચર્યકારી ગુણે તીર્થંકરનામકર્મના ઉદયે વિરાજમાન હોવાથી વિભૂતિ શબ્દમાં તે સર્વને સમાવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org