________________
૭૮
ગ્રન્થ–યુગલ થાય છે. અનેક સાર્થક નામથી ગ્રંથકર્તા પિતાને અદ્વેષભાવ અન્ય ધર્મો પ્રત્યે પણ વ્યક્ત કરે છે. જેણે રાગ, દ્વેષ અને મેહ આદિ સમસ્ત અંતરંગ શત્રુઓને જીત્યા છે એવા દેહધારી જિન ભગવંતને નમસ્કાર કરતાં તે કહે છે કે કલ્યાણ (શિવ)મૂર્તિ મહાદેવ જે મેક્ષસ્વરૂપ છે, તેને પણ નમસ્કાર હો! જે મેક્ષદર્શક અને મોક્ષના સાધનરૂપ સશાસ્ત્રના મૂળ ઉત્પાદક છે, તે વેદના રચનાર બ્રહ્મારૂપ સદેહી ભગવાનને પણ નમસ્કાર કરવા ગ્ય છે. તથાગત તથા સર્વજ્ઞને નામે પ્રસિદ્ધ બુદ્ધ ભગવાન પણ દેહધારી તીર્થંકરરૂપે હોવાથી જેનાં ચાર કર્મો ક્ષય થયાં છે અને અક્ષય, અનંત જ્ઞાન પામ્યા છે, તે જ સાચા તથાગત છે અને નમસ્કાર કરવા ગ્ય છે. વિષ્ણુ એટલે સર્વ-વ્યાપી, જેનું જ્ઞાન કલેકમાં વ્યાપ્ત છે એવા તીર્થંકર ભગવાન જ સાચા વિષ્ણુ તથા નમસ્કાર કરવા ગ્ય દેહધારી વિદ્યમાન મૂર્તિ છે.
બોલતા નથી છતાં જેમની વાણું-વિભૂતિ જ્યવંત વર્તે છે તથા નિઃસ્પૃહ છતાં તીર્થના સ્થાપનાર છે. આવા વર્ણનથી કાવ્યમાં વિરોધાલંકાર નામની ચમત્કૃતિ ગ્રંથકારે દર્શાવી છે. તીર્થંકર થયા તે પહેલાંના ત્રીજે ભવે અત્યંત કરુણાના આવેશમાં આવી, “સવિ જીવ કરું શાસન-રસી” એવી પ્રબળ ભાવના ભાવી, અનેક જીવોના ઉદ્ધારમાં પ્રબળ નિમિત્તભૂત જિન-નામકર્મ તેમણે બાંધેલું હોવાથી, તે પુણ્ય વિભૂતિના ઉદય વખતે આ ભવમાં તે ઈચ્છા સરખી જેના અંતરમાં પ્રવેશ કરી શકતી નથી એવી સંપૂર્ણ દશા પામ્યા છે, છતાં તેમની વિદ્યમાનતામાં અનેક જીવનું અનેકવિધ કલ્યાણ આપોઆપ થયા કરે છે; એવા આશ્ચર્યમૂર્તિ તીર્થંકર ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org