SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થ-યુગલ મેક્ષપ્રાપ્તિના ઉપાય પ્રથમ પંક્તિમાં જણાવ્યો કે :“છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ મારગ સાંભળેા જિનના રે.” —શ્રીમદ્ રાજચન્દ્ર બીજી પંક્તિમાં તે જ્ઞાનની પૂર્ણતારૂપ મેક્ષસ્વરૂપ દર્શાવ્યું. આત્મા અને અનાત્માનું ચથાર્થ સ્વરૂપ જણાવવા વડે વિશ્વનું સ્વરૂપ જે કેવળજ્ઞાનથી જણાય છે તે પણ પ્રગટ કહ્યું; તથા જીવ અજીવના જ્ઞાન દ્વારા નવ તત્ત્વ, છ દ્રવ્ય આદિ પણ સૂચવ્યાં. એક આત્માને જાણતાં સર્વે જણાય છે, એમ પણ સાબિત કર્યું. જેને જાણવા માટે બધાં શાસ્ત્રો છે એવા આત્મા જેણે આત્મારૂપે જ જાણ્યા તે સિદ્ધપદ પામશે એવી પણ આશીર્વાદ-ઉક્તિ પ્રથમ શ્લોકમાં ગર્ભિત છે. આત્માને આત્મારૂપે જ જાણે અને પરને પરરૂપે જ જાણે તે વચમાં મેહને સ્થાન મળતું નથી; તેથી નિર્મોહી દશાનું પણ પ્રથમ પંક્તિમાં સૂચવન છે. 30 કોઈ શંકા કરે કે પચ પરમેષ્ઠીમંત્રમાં તે અરિહંત દેવ પ્રથમ છે, તે તેમને ખલે સિદ્ધ ભગવાનને પ્રથમ કેમ નમસ્કાર કર્યાં ? તેના ઉત્તરમાં સંસ્કૃત ટીકાકાર જણાવે છે કે જેમ ધનુર્વિદ્યા શીખનાર ધનુર્વેદમાં પ્રવીણ હાય તેને નમસ્કાર કરે છે, તેમ ગ્રંથકર્તા, ટીકાકર્તા, શ્રેાતા અને અર્થ સમજીને તે પ્રમાણે પ્રવર્તનાર એ સર્વને સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તેથી સિદ્ધ ભગવંતને પ્રથમ નમસ્કાર કર્યા છે; અથવા સિદ્ધ શબ્દથી અર્હતાદિનું સ્વરૂપ ગ્રહણ કરવું, કારણકે અંશે તે સર્વ પણ અવિનાશી, સિદ્ધસ્વરૂપધારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy