________________
(૩) ગ્રંથ પ્રારંભ સમાધિશતક-વિવેચન
: येनात्माऽबद्ध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानंतबोधाय तस्मै सिद्धात्मने नमः ॥१॥
અનુષ્ટ્રપ જેણે જાણે ખરો આત્મા–આત્માને, અન્ય અન્યને; અક્ષય-પૂર્ણ જ્ઞાની તે, સિદ્ધને ધન્ય, ધન્ય છે. ૧ | ભાવાર્થ –સર્વ કર્મથી રહિત, અક્ષય એટલે જેને કદી નાશ થવાનો નથી એવું અપ્રતિપાતી જ્ઞાન તથા જે જ્ઞાનને કેઈ સીમા નથી કે આટલી હદથી આગળ ન જાણી શકે એવા કેવળજ્ઞાનસ્વરૂપ સિદ્ધ પરમાત્માને પરમ આશ્ચર્યભાવથી પૂજ્યપાદ સ્વામી નમસ્કાર કરે છે.
તેમણે એવું આશ્ચર્યકારી શું જાણ્યું કે તમે તેમને નમસ્કાર કરે છે? એમ કઈ પૂછે તે પહેલાં જ કહે છે : જગતમાં જાણવા ગ્ય તે એક આત્મા જ છે, તેને જેણે અનંત કલ્પનાઓ ટાળીને માત્ર યથાર્થ આત્મારૂપે જ જાયે, તે મહત્તા અલૌકિક છે. દેહાદિક અન્ય પદાર્થોના મેહમાં અનાદિકાળથી આત્મા આત્મારૂપે જણાતું નહતું, તેથી પરને પરના જ સ્વરૂપે જેણે જાણ્યું અને આત્માને આત્મસ્વરૂપે જ જાણે એ વિવેક જેને પ્રથમ પ્રગટ થયે અને તેના ફળરૂપે જ્ઞાન આદિ અનંત આત્મગુણો ઉપર જે કર્મરૂપે આવરણ હતાં તે સર્વ જેણે ટાળ્યાં તે સિદ્ધ ભગવંત આપણું શુદ્ધ સ્વરૂપના આદર્શ હોવાથી તેમને નમસ્કાર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org