________________
૭૪
ગ્રન્થયુગલ કાવ્ય, સિદ્ધાંત આદિના દોષોથી રહિત છે. “અપ્રતિમ પ્રબંધ એટલે સાતિશય દિવ્ય વનિથી ખરતા સર્વોત્તમ બેધવાળા વીર ભગવંત છે; આ શાસ્ત્રમાં પણ અજોડ ઉત્તમ બોધ છે. નિર્મળ મેક્ષમાર્ગરૂપ વીર ભગવંત છે; તેમજ આ શાસ્ત્ર પણ નિર્મળ મોક્ષમાર્ગ જેમાં સંગ્રહેલે છે એવું પવિત્ર છે. દેવને વંદ્ય ભગવાન છે, તેમ આ શાસ્ત્ર પણ દેવે તેમ જ વિદ્વાનોને માન્ય છે. સંસાર-સાગર તરવામાં ઉત્કૃષ્ટ વહાણ સમાન વીર ભગવાન છે, તેમ આ શાસ્ત્ર પણ સંસાર-સાગર તરવામાં વહાણ સમાન આધારરૂપ છે. આમ ભગવંતના વિનય સાથે સાથે ભગવાનની વાણી પ્રત્યે બહુમાન ભક્તિ ટીકાકારે દર્શાવી છે, કારણ કે જીવને ઉપકારકારક તે સદ્ભુત છે, તેથી દર્શન મેહરૂપ મળ દૂર થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, પછી સમ્યગ્દર્શનના પ્રભાવે ચારિત્રહ પણ પ્રક્ષીણ થાય છે?
“દર્શનમેહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન કેવળ રચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો કયારે આવશે ?”
-શ્રીમદ્ રાજચંદ્ર કર્મ મેહનીય ભેદ બે, દર્શન, ચારિત્ર નામ; | હણે બોધ, વીતરાગતા, અચૂક ઉપાય આમ.”
શ્રીમદ્ રાજચંદ્ર-રચિત આત્મસિદિશાસ્ત્ર. હવે ગ્રંથકર્તા નિત્ય, નિરંજન, નિરાકાર પરમપદની પ્રાપ્તિના ધ્યાનમાં રહેતા હોવાથી સિદ્ધ ભગવંતને પ્રથમ સ્મરીને આ સમાધિ-શતકની શરૂઆત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org