SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન 93 (૨) સંસ્કૃત ટીકાકારનું મંગલાચરણ वसंततिलका-सिद्धं जिनेन्द्रमलमप्रतिमप्रबोधं, निर्वाणमार्गममलं विबुधेन्द्र वंद्यम् । ससारसागरसमुत्तरणप्रपोतम् वक्ष्ये समाधि-शतकं प्रणिपत्य वीरम् ॥ હરિગીત પરિપૂર્ણ, સિદ્ધ, જિદ્ર અનુપમ જ્ઞાનતિ ઝળહળે, નિર્વાણ-માર્ગ સમાન નિર્મળ, જ્યાં સુરેન્દ્ર-શિરે ઢળે; સંસારસાગર તારવા સફરી જહાજ સમાન છે, વ્યાખ્યા સમાધિ-શતક્ની કરું વીર ગુરુને પ્રણમીને. ભાવાર્થ-શ્રી પ્રભાચંદ્ર નામના સંસ્કૃત ટીકાકાર શરૂઆતમાં શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરીને આ “સમાધિશતક સંબંધી કહીશ એવી પ્રતિજ્ઞા કરે છે. શ્રી વીર ભગવાન કેવા છે, તે જણાવવા જે જે વિશેષણો ટીકાકાર જે છે, તે એવાં છે કે “સમાધિ-શતક શાસ્ત્રને પણ તે લાગુ પડે છે. પ્રથમ ભગવાન પોતાની સાધના પૂર્ણ કરી “સિદ્ધ સ્વરૂપ બન્યા છે, તેમ જ સશાસ્ત્ર પણ પ્રસિદ્ધ છે તથા જે સમાધિ સંબંધી તેમાં કહેલું છે, તે સાધના કરી સિદ્ધ કરેલું જ કહેલું છે. વળી પૂજ્યપાદ સ્વામીએ પ્રથમ શ્લેકમાં સિદ્ધ ભગવંતને ઈષ્ટદેવરૂપે પ્રથમ નમસ્કાર કરી મંગલાચરણમાં અલૌકિતા દાખવી છે, “સાધુને સિદ્ધ દશા સમું” શ્રી યશવિજયજીએ “ગદ્રષ્ટિમાં જણાવ્યું છે, તેમ ટીકાકારે તેનું અનુકરણ કરી સિદ્ધ અને “જિનેન્દ્ર બને પરમેષ્ઠીરૂપ શ્રી વીરને નમસ્કાર કર્યો છે. કર્મમલને નાશ કરવાથી ભગવાન અમલ” એટલે નિર્દોષ છે, તેમ આ શાસ્ત્ર પણ વ્યાકરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy