________________
૪૩
છ દ્રવ્ય : પંચાસ્તિકાય : વિશ્વ સંચાલન
૪૩ સિવાય બીજા પુદ્ગલ પણ કામ લાગે છે. એ પુદ્ગલ શું છે અને એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, એને વિચાર આગળ કરીશું. પરંતુ મુખ્ય કાર્યવાહી જીવ અને જડ પુદ્ગલથી થાય છે, એ સમજી રાખવું. જીવ અને પુદ્ગલમાં નવી નવી અવસ્થાઓ-ફેરફારો થયા કરે, એનું જ નામ largi 22144-Working of the world.
(૩) આકાશદ્રવ્ય - જીવ અને પુદગલને રહેવા જગ્યા જોઈએ; તે આપનાર આકાશદ્રવ્ય છે. તમને થશે કે આ આકાશ વળી શું ? આકાશ તે શૂન્ય છે. જગ્યા આપવાનું કાર્ય શૂન્યથી કેવી રીતે બને? એને માટે તે કે દ્રવ્ય જોઈએ. દ્રવ્ય તે કહેવાય કે જે કંઈ ને કંઈ કાર્ય કરે, અને જેનામાં ગુણ પર્યાયે રહે. (પર્યાય = અવસ્થા.) જરૂરી પણ મોટું કબાટ લાવવાની ઘણી ઈચ્છા છે પણ નથી લાવ્યા. કેમ? ઘરમાં મૂકવાની જગ્યા નથી, અર્થાત અવકાશ આપનાર ક્ષેત્ર ત્યાં અ૯૫ છે.
આકાશ અવકાશ-દાનનું કાર્ય કરે છે, અને એમાં એકત્વ સંખ્યા, મહાપરિમાણ વગેરે ગુણે છે, તથા ઘટાકાશ, મહાકાશ વગેરે એના પર્યા છે. આકાશ ગુણ-પર્યાયને ધારણ કરે છે માટે આકાશ એ દ્રવ્ય છે. - આકાશ કેટલું મોટું? તેનું કઈ માપ નથી. તેને કેઈ છેડે નથી. છેડે હોય તે પ્રશ્ન થાય કે છેડે પૂરો થયા પછી આગળ શું? પણ તેને છેડે નથી. આકાશ અંતરહિત અનંત છે. આવા આકાશમાં જીવ અને પુદ્ગલ સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org