________________
જેને ધમને પરિચય
જાય છે, અને અત્યાર સુધી જડના રંગરાગની જ એક માત્ર જે વેશ્યા હતી તે મેળી પડે છે, ત્યારે જીવ ન્યાયસંપન્નતા, કૃતજ્ઞતા, દયા, પરેપકાર વગેરેનું સેવન કરતે થાય છે. આ સેવન વાસ્તવિક મેક્ષમાર્ગ તરફ (યાને સમ્યગ્દર્શનાદિ તરફ) લઈ જનારે હેવાથી માર્ગનુસારી જીવન કહેવાય છે, અથવા સામાન્યથી ગૃહસ્થ ધર્મ કહેવાય છે. વિશેષથી ગૃહસ્થ ધર્મ સમ્યકત્વ અને ૧૨ વ્રતરૂપ છે.
વિશેષથી ગૃહસ્થધામ:
માર્ગનુસારી ગૃહસ્થ ધર્મને સેવતાં સેવતાં સદ્દગુરુને યોગ થાય તથા સર્વ-કથિત વાસ્તવિક તવ અને મોક્ષમાર્ગ સાંભળવા-સમજવા મળે, ને એના પર શ્રદ્ધા થાય, ત્યાં વિશેષથી ગૃહસ્થધર્મરૂપે સમ્યગ્દર્શન થાય છે. એમાં પછી વીતરાગ સર્વજ્ઞ અરિહંત ભગવાનની પૂજા ભક્તિ, સંસારત્યાગી અહિંસાદિ મહાવ્રતધારી અને જિનાજ્ઞા પ્રતિબદ્ધ સાધુ મહાત્માની સેવા ભક્તિ તથા સર્વજ્ઞની વાણીનું શ્રવણ, તીર્થયાત્રા, અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ એ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાના મંત્રનું સ્મરણ, જાપ વગેરે સમ્યગ્દર્શનની કરણ કરે છે.
અને ત્યારબાદ આગળ વલ્લાસ પ્રગટ કરી હિંસા જૂઠ વગેરે પાપના સ્થૂલ ત્યાગની પ્રતિજ્ઞાપૂર્વક પાંચ અણુવ્રત ગ્રહણ કરે છે, અને એની સાથે ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એમ ૧૨ વ્રત, તથા શ્રાવકપણાની બીજી કરણ કરતે જીવ ઊંચે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org