SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન, તથા ન્યાયશાસ્ત્રને ઊંડે અભ્યાસ, બહોળું વાંચન અને તલસ્પર્શી અનુભવજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એમાંથી તેઓશ્રી મનેજ્ઞાનિક રસમય પ્રેરક-બેધક શૈલીએ વ્યાખ્યાન, વાંચન અને ગ્રંથસનદ્વારા શ્રુતજ્ઞાન પીરસી રહ્યા છે કેમકે શ્રી સંઘને વીતરાગ-શાસનને અપૂર્વ શ્રુતજ્ઞાનને વારસો મળતા રહે અને જૈનત્વના સંસ્કાર દઢ-દઢતમ બનતા રહે એવી દિલની અપૂર્વ શાસનરક્ષાની ભાવના થતાં ભારે ધગશ તેઓશ્રી સેવી રહ્યા છે. વર્ધમાન આયંબિલ તપની કઠોર તપશ્ચર્યા સાથે અપ્રમત્તપણે ૧૭–૧૮ કલાકનો પરિશ્રમ સેવી અનેક જવાબદારીઓ વચ્ચે પાલીતાણા, અંધેરી, નાસિક, અહમદનગર, વઢવાણ, પાલણપુર, અમદાવાદ, શિવગંજ વિગેરે સ્થળોએ પૂ પન્યાસજી મહારાજશ્રીએ તત્ત્વજ્ઞાનની અનેક વાચનાઓ શ્રાવકવર્ગને આપી હતી, જેમાં બાળકે-યુવકપ્રોઢ તથા વિદ્વાનેએ સારો લાભ ઊઠાવે તથા તેની નોંધ પણ લખાઈ હતી. જુદી જુદી તત્ત્વજ્ઞાનની વાચનાઓનું સંક્ષેપમાં પાઠયપુસ્તક તરીકે એકીકરણ કરી અભ્યાસપયોગી પુસ્તક બને તેની ઘણું જરૂરીયાત અને માંગ રહેતી. વિ. સં. ૨૦૧૮ માં આ માંગણી પૂરી થઈ. પૂજય પંન્યાસજી મહારાજશ્રીએ અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પુસ્તકનું મેટર તૈયાર કર્યું. સૌ પ્રથમ તે હિન્દીમાં “જેન ધર્મક સરળ પરિચય” નામે પ્રકટ થયું. અને તુરત જ અમેએ એ “જૈન ધર્મને સરળ પરિચય ભાગ ૧” નામે તેની પ્રથમ ગુજરાતી આવૃત્તિ પ્રકટ કરી. પૂજ્યશ્રીના તત્વાવધાનમાં વરસોવરસ ગ્રીષ્માવકાશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy