________________
તત્ત્વપરિણતિ માટે તેનો બોધ, ચિંતન અને એને આત્મામાં ભાવિત કરવાની જરૂર રહે છે. તે માટે તને સમજવા ગુરુગમ તથા પાઠયપુસ્તકાદિની સાધન-સામગ્રી એક જરૂરી અંગ છે.
ત પણ વીતરાગ સર્વજ્ઞ ભગવાને જ કહેલાં યથાર્થ હેઈ શકે. મહાપુરુષોએ એ તત્ત્વનો વિસ્તાર વિશાળ આગમ શાસ્ત્રોમાં આલેખે છે, અને બાળજીના લાભ માટે નાના પ્રકરણ-ગ્રન્થદ્વારા પણ પ્રકાશિત કર્યા છે. પ્રસ્તુત ગ્રન્થને એ તના નિરૂપણાથે સરળ ગુજરાતી ભાષા અને અલગ અલગ વિભાગ-પૃથક્કરણાદિ જીને એવી રીતે દેહન રૂપે ૩૮ પ્રકરણો રજુ કરવામાં આવ્યાં છે કે જિજ્ઞાસુને પૂર્વમહર્ષિઓના કહેલા તનું સહેલાઈથી જ્ઞાન થઈ શકે, ચિંતન ભાવન દ્વારા તત્ત્વપરિણતિ પ્રગટી શકે.
જૈનશાસનના અતિગંભીર રહસ્યગર્ભિત તનું સરળ અને સંક્ષેપમાં અભ્યાસાથી માટે ગાઈડ સમાન ઉપયોગી પુસ્તકની આવશ્યકતા ઘણા સમયથી હતી. આ આશાની
કિંચિત સફળતા વિ. સં. ૨૦૧૮ માં સાંપડી હતી. - પરમપૂજ્ય પરમપકારી સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીને વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવર (હાલ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) કે જેઓશ્રીએ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની અનુપમ કૃપાતલે અપૂર્વ શાસ્ત્રજ્ઞાન જુદા જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org