________________
ચેાજાતી · જૈન ધાર્મિક શિક્ષણ શિબિરમાં ' આ પુસ્તક ઉપરથી શિબિરાર્થીઓને જૈનધર્મના તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરાવાયા, આજે તે! આ પુસ્તક આ શિબિરg પાઠયપુસ્તક બની ચૂકયુ' છે, તેની ઉપયૈાગિતા વધતાં તેની બીજી ત્રીજી ચેાથી ને પાંચમી આવૃત્તિ પણ અમારા તરફથી પ્રકટ થઈ.
.
અને આજે તેની છઠ્ઠી આવૃત્તિ પ્રકટ કરતાં અમને આનંદ થાય છે, અગાઉની આવૃત્તિઓ કરતાં આ આ છઠ્ઠી આવૃત્તિમાં જરૂરી ઘણું સંસ્કરણ કરવામાં આવ્યું છે, આ સંસ્કરણ પણ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પેાતે કર્યુ છે. શાળા કાલેજના વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા પડે તે માટે દરેક પ્રકરણમાં પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ સુધારાવધારા કર્યાં છે. ઉગ્ર વિહાર તેમજ નાદુરસ્ત તબિયત અને ચાલુ તપશ્ર્વય સાથે પણ તેએશ્રીએ ખૂબ જ કાળજીપૂર્વક આ પુસ્તકનું બધુ જ મેટર મૂળ સાઘત જોયુ છે, તપાસ્યુ છે, અને સુધાયુ છે.
આ પાઠયપુસ્તકની આ વખતે વધુ વિશેષતા એ છે કે આમાં જીવવિજ્ઞાન, અજીવ તત્ત્વ, નવતત્ત્વ અને કચક્રના ચિત્રા આપવામાં આવ્યા છે, આ ચિત્રાથી તે તે વિષયાની સમજ વધુ સરળ અને સ્પષ્ટ બનશે.
૩૮ પ્રકરણે। આ પાઠયપુસ્તકમાં છે, દરેકના અંતે પ્રશ્નો આપ્યાં છે. દરેક પ્રકરણના વિષય વાંચવાથી સમજાશે કે આ પુસ્તક નવી જૈન પ્રજા, મુઝગ જૈન તથા જૈનેતરા વગેરે માટે ઘણું ઉપયાગી છે, કેમકે આજના કહેવાતા શિક્ષણમાંથી આર્ય પ્રજાના પ્રાણભૂત ધર્મતત્ત્વનાં શિક્ષણને રુખસદ મળી છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org