________________
જૈન ધર્મને પરિચય
અને તેવા તેવા પ્રકારની તેના પર જડ કર્મની રજ ચૂંટે છે. આ કર્મ પાકી જાય છે ત્યારે તે જીવમાં અને જડમાં તે તે પ્રકારે ફેરફારો ઊભા કરે છે, જેના વેગે નવાં નવાં સર્જન થયા કરે છે, તેથી માનવાને કારણે મળે છે કે એની પાછળ જીવ અને જડ પુદ્ગલ તથા કર્મ કામ કરી રહ્યાં છે. જીવની કામગીરીને દાખલ :
દા. તમાળીએ તે જમીનમાં માત્ર ખાતર, અને બીજ નાખી પાણી પાયું, પણ એની એ જ જમીન, ખાતર, બીજ અને પાણી પર છેડ, પાંદડા, ફૂલ અને ફળ જુદા જુદા રંગના, ઘાટના અને સ્વાદના કેવી રીતે વ્યવસ્થિતરૂપમાં તૈયાર થાય છે? એ વિચારતાં યુક્તિ-પુરસ્પર સિદ્ધ થાય છે કે એ છેડ વગેરે બધા જડ પુદ્ગલનાં બનેલા શરીરે છે, ને એ શરીરે તેવા તેવા જીવના છે, તેમજ એ શરીરે જીવનાં કર્મથી બનેલાં છે. એ કર્મ પણ એ જીવે પૂર્વભવે તેવી બુદ્ધિ, પુરુષાર્થ અને જડના સહારાથી સરજેલાં....
આમ માનવું પડે કે એ પુદ્ગલ પાછળ જીવ અને કર્મ કામ કરી રહ્યાં છે. એ જ રીતે જમીનની અંદરની તેવી તેવી માટી, ધાતુઓ, પાષાણુ તથા પાણી, અગ્નિ અને વાયુનાં સર્જન પાછળ જીવ અને એનાં કર્મ કામ કરી રહ્યાં છે. ત્યાં ઉત્પત્તિસ્થાનમાં છે પિતપતાના કર્મના હિસાબે દાખલ થાય છે, અને ત્યાં પિતાને યોગ્ય ખેરાક મળવાથી એમાંથી જીવના કર્માનુસાર વિચિત્ર શરીર બને છે. એનું જ નામ પૃથ્વી, પાણી, અગ્ની, વાયુ, વનસ્પતિ વગેરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org