________________
જૈન ધર્મને પરિચય
બીજા પ્રશ્ન ઉપર વિચાર એ કરવાને છે કે જગત એક મહાન વિષય-ઉપર વિચાર કરનાર આ “હું” એ કોણ છે અને એને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન આ જગતના તમામ પદાથે સાથે કેવા કેવા શુભાશુભ સંબંધે છે.
બીજા પ્રશ્નના વિચાર દ્વારા “હું” તત્ત્વ અને જગતના અન્ય અનેક તત્ત્વના શુભાશુભ સંબંધે જાણ્યા પછી હાનીકારક તને જાણવાપૂર્વક તેની અરૂચિ અને ત્યાગ તથા લાભકારક તને જાણવાપૂર્વક તેને આદર અને પ્રયત્ન વગેરે રૂ૫ આત્મક્તવ્યોને ત્રીજા પ્રશ્નમાં વિચાર કરે જરૂરી બને છે.
આમ પ્રથમ પ્રશ્નના સમાધાન રૂપે જગતની વર્તમાન તમામ પ્રકારની વસ્તુઓ, તેનાં સર્જન-સંચાલન અને તેના પરસ્પર સંબંધ વગેરેનું તત્ત્વજ્ઞાન ફલિત થાય છે.
બીજા પ્રશ્નના સમાધાન રૂપે “હું” એટલે કે પિતાના જીવન અને અન્ય જીવે વગેરેમાં રહેલી વિચિત્રતાવિલક્ષણતાનું પ્રતિપાદન કરનાર જીવવિજ્ઞાન અને એ વિચિત્રતાના કારણભૂત કર્મરૂપી પદાર્થનું વિજ્ઞાન ફલિત થાય છે. - ત્રીજા પ્રશ્નના સમાધાનરૂપે જીવ માટે અંતિમ સાધ્યરૂપ ધ્યેય અને એ ધ્યેયને હાંસલ કરાવનાર ઉતરતા દરજજાથી માંડીને સર્વોચ્ચ કક્ષાના દૂઆચારનાં પાલનરૂપ ધર્મ અને એનાં ધ્યેયને હાંસલ કરવામાં બાધક વિરોધી તરૂપ દુરાચાર-અધર્મનું વિજ્ઞાન ફલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org