________________
૨૯૮
જૈન ધર્મ પરિચય અપેક્ષાએ, આ અનેકાંતવાદ સિદ્ધાંતને કથંચિદુવાદ, સ્વાદુવાદ સાપેક્ષવાદ પણ કહે છે. - સ્વાદુ એટલે કથંચિત્ અર્થાત્ અમુક અપેક્ષાએ તે તે ધર્મ યા પરિસ્થિતિનું પ્રતિપાદન એ સ્યાદવાદ. એકાંત દષ્ટિથી નહિ, પણ અનેકાંત દૃષ્ટિથી જ જેવું કે બોલવું પ્રામાણિક બને છે. માટે અનેકાંતવાદને જ સિદ્ધાંત પ્રામાણિક છે. જેના દર્શન અનેકાંતવાદી છે. સ્વાદુવાદી છે, સાપેક્ષતાને સિદ્ધાંત ધરાવે છે. નજીકના કાળમાં થયેલા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પણ બહુ તપાસને અંતે Principle of Relativity સાપેક્ષતાને સિદ્ધાંત અંકિત કરે પડે છે.
એક ઉપાદ-વ્યય-ધ્રોવ્ય જ વસ્તુમાત્રને સાપેક્ષ રીતે જોઈએ તે જ યથાર્થ દર્શન થાય; કેમકે વસ્તુ અનેકની સાથે સંબંધ ધરાવે છે, તેમજ એમાં મૂળ સ્વરૂપ અને નવનવી અવસ્થા એટલે કે દ્રવ્યપણું અને પર્યાય, એમ બે સ્થિતિ હોય છે. દ્રવ્યરૂપે એ ધ્રુવ (કાયમ) રહે છે અને પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, તથા નાશ પામે છે.
વસ્ત્ર પહેલાં તાકે હતા, હવે કોટ–અમીશ વગેરે કપડા સીવડાવ્યાં, ત્યાં વસ્ત્ર વસ્ત્રદ્રવ્યરૂપે તે કાયમ રહ્યું, પરંતુ તાકા-પર્યાયરૂપે નાશ પામ્યું, અને કોટ–પર્યાય વગેરે રૂપે ઉત્પન્ન થયું.
માણસ કારકુન-પર્યાયરૂપે મટી અમલદાર–પર્યાયરૂપે થયે, ત્યાંય માણસ માનવ દ્રવ્યરૂપે કાયમ રહ્યો, માત્ર પર્યાયરૂપે ફર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org