________________
ધ્યાન
૨૫૩
વગેરે સ્તુતિઓ તથા સ્તવનની એકેક ગાથા લઈ એના આધાર પર એના ભાવને જાણે નજર સામે ચિત્રાત્મક હુબહુ ખડા કરી અરિહંતનું ધ્યાન કરવાનું. એમાં પણ એકેક કડીએ પછીની કડીના પદાર્થ સાથે સાંકળ જોડવાની.
(૭) ચૈત્યવંદન તથા પ્રતિક્રમણ ક્રિયા વખતે પણ, તે તે સૂત્રની દરેક ગાથાના ભાવનું ચિત્ર, જે પહેલાં કલ્પી રાખ્યું હોય. તેને મનમાં નજર સામે લાવવાનું, અને તેના પર હદયના ભાવ ગાથા બેલતાં ઉતારવા. દા. ત. જે આ અઈયા સિદ્ધા....” ગાથા બોલતાં જાણે ડાબી બાજુએ અનંતા અતીત તીર્થકર, એમ જમણી બાજુએ અનંતા ભાવી તીર્થકર, અને સામે વીસ વિચરતા ભગવાન સમવસરણ પર યા અષ્ટપ્રાતિહાર્ય સહિત બિરાજમાન છે એમ નજર સામે આવે. એમને મન-વચન-કાયાથી નમસ્કાર કરવાને. ગાથાને અર્થ ન આવડે ત્યાં મનમાં ઊભા કોલમમાં ઉપરથી નીચે ગાથાની ચાર લીટી લખેલી દેખાય, તે વાંચવાની. આ પાંચમું ધ્યાન”—તપ થયું. ૬ ડું કાર્યોત્સર્ગ–તપ પૂર્વે કહ્યું છે. એમ આઠમા નિર્જરાતત્ત્વની વાત થઈ. હવે મેક્ષતત્ત્વ.
® પ્રશ્ન. ૧. યાનના ૪ પ્રકાર સમજાવે. ૨. વિરાગરિચય, ભવવિચય, ઉપાયવિચય, અને હેતુવિચમાં
શું ચિંતવવાનું? ૩. રૂપસ્થધ્યાન, પદધ્યાન, અંતર્દશન-અંત શ્રવણ કેવી
રીતે કરવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org