________________
૨૫૨.
જૈન ધર્મને પરિચય
વિચાર ન આવે, અને બોલાતા અક્ષર જાણે સામે પાટિયા પર લખેલા વાંચવા પર બરાબર લક્ષ રહે. એ રીતે આગળ વધતાં માપ જોયા કરવાનું કે અખંડ ૨૪, ૪૮, ૭૨, ૯૬, અર્થાત્ ૧ વાર ૨ વાર.... વીશી નામ ચાલે છે ને? ત્રીજા પ્રકારના માનસ જાપ માટે આંતરિક ઉચ્ચારણ પણ નહિ, કિન્તુ અંદરમાં જાણે વિના બેભે અક્ષર શું લખ્યા છે તે
સ્પષ્ટ દેખીએ છીએ, એ રીતે જાપ કરવાનો. અલબત્ આમાં ઉતાવળ કામ નહિ લાગે, પરંતુ એકાગ્રતા એવી કેળવાશે કે ધ્યાન કરવાની શક્તિ આવશે.
(૪) એક પ્રકાર એ છે કે આપણા હૃદયમાં યા બે આંખ વચ્ચેના અંતરમાં જાણે કેઈ આપણને પરિચિત સ્વરવાળા ગુરુ મહારાજ વગેરે બોલી રહ્યા દેખાય છે, ને એમાં ય આપણને એમના માત્ર હોઠ હાલતા દેખાય છે, અને એમના ઉચ્ચારણ પર બરાબર અંદરમાં આપણે કાન ધરીને ફુટ અક્ષર સાંભળી રહ્યા છીએ. આ અંતઃશ્રવણને પ્રયોગ છે.
(૫) નજર સામે જાણે અનંત સમવસરણ છે. એના પર અનંતા અરિહંતદેવ છે, એમના મસ્તક પર અનતા સિદ્ધ-ભગવાન છે; ને અરિહંતદેવની આગળ જમણી બાજુ અનંતા આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ છે. એ ધારણ કરીને એમને કમસર નમસ્કાર કરતા હોઈએ એ રીતે નમસ્કારમંત્રને જપ થઈ શકે. ઉપરોક્ત નંબર ૨ એ પદ–અક્ષર-જાપને પ્રવેગ અને આ રૂપસ્થ જાપ-પદાર્થ જાપને પ્રગ છે.
(૬) પછી જપમાંથી ધ્યાનમાં જવા માટે સલાહંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org